મોરબીમાં સ્પેશિયલ ઓબ્ઝર્વર-પોલિસ ઓબ્સર્વરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
મોરબી સેસન્સ કોર્ટે રાતાભેરના લેન્ડ ગ્રેબીંગના કેસમાં આરોપીઓને જામીન મુક્ત કર્યા
SHARE
મોરબી સેસન્સ કોર્ટે રાતાભેરના લેન્ડ ગ્રેબીંગના કેસમાં આરોપીઓને જામીન મુક્ત કર્યા
હળવદના રાતભેર ગામે આરોપીઓએ ફરીયાદીની માલીકીની ડુંગરપુર ગામની સર્વે નં. ૨૨૭/ર પૈકી ૧ ની જમીનહે.૧–૬૬-૯૩ ચો.મી વાળી જમીન પર દબાણ કર્યું હોવાથી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોધાવી હતી જેના આધારે પકડાયેલ આરોપીની જામીન અરજી મૂકવામાં આવી હતી જેને સેશન્સ કોર્ટે મંજૂર કરેલ છે
હળવદના ડુંગરપુર ગામની માલીકીની જમીન ઉપર દબાણ કરનાર આરોપી કરમશીભાઈ વીરજીભાઈ કોળી, વેલજીભાઈ કરમશીભાઈ કોળી, દેહરભાઈ કરમશીભાઈ કોળી, ટીશાભાઈ કરમશીભાઈ કોળી અને ધનશ્યામભાઈ કરમશીભાઈ કોળીની લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી આ આરોપીઓના જામીન માટે અરજી કરવામાં આવી હતી અને મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી દીલીપ આર. અગેચાણીયા રોકાયેલ હતા તેઓએ આરોપી તરફે દલીલ કરવામાં આવી હતી અને ખોટી ફરીયાદ આધારે પોલીસે ખોટી રીતે આરોપીઓને ગંભીર ગુનામાં સંડોવી દીધેલ છે અને આ કામમાં તપાસ પુરી થઈ ગયેલ છે. જેમાં આરોપીની સીધી કે આડકતરી સંડોવણી નથી જેથી વકીલે રજૂ કરેલ જામીન માટેના વીવીધ ચુકાદાઓને ધ્યાને રાખીને કોર્ટે આરોપી પક્ષની દલીલ માન્ય રાખી આરોપીઓને શરતી જામીન પર છોડવાનો હુકમ કરેલ છે આ કેસમાં દીલીપભાઈ અગેચાણીયા, જીતેન અગેચાણીયા,જે.ડી. સોલંકી, મોનીકાબેન ગોલતર, હીતેશ પરમાર, રવિ ચાવડા, ડીમ્પલ રૂપાલા, દીવ્યા સીતાપરા રોકાયેલા હતા.