મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય જીર્ણોધાર મહોત્સવ-સંતવાણીનું આયોજન મોરબી જીલ્લામાં બહારથી આવેલા કર્મચારી-શ્રમિકોની નજીકના પોલીસ મથકમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં ફેબ્રુઆરી માહિનામાં હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ નલ સે જલ અભિયાન: મોરબીના લાલાપર ગામે પાણીની ટાંકી-પમ્પિંગ મશીનરીનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA બનવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે કાલે સેમિનાર યોજાશે 2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના રાજપર ગામ પાસે કારખાનામાં વીજ શોર્ટ લાગતા યુવાનનું મોત


SHARE











મોરબીના રાજપર ગામ પાસે કારખાનામાં વીજ શોર્ટ લાગતા યુવાનનું મોત

મોરબી નજીકના રાજપર ગામે આવેલ સમાજ વાડી પાસે કારખાનામાં કામગીરી દરમિયાન યુવાનને વિજ શોર્ટ લાગ્યો હતો જેથી કરીને તેનું મોત નિપજયુ હતુ ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબી નજીકના પંચાસર ગામે રહેતા અશોકભાઈ ધીરુભાઈ પરમાર (૧૯) મોરબી નજીકના રાજપર ગામે પટેલ સમાજ વાડી પાસે આવેલ ગૌશાળાની પાછળના ભાગમાં ગુરુકૃપા વોટર સપ્લાય નામના કારખાનામાં કામ કરી રહ્યા હતા ત્યારે કામગીરી દરમિયાન તેને કારખાનામાં ઈલેક્ટ્રીક સોર્ટ લાગ્યો હતો જેથી કરીને અશોકભાઈ પરમારનું ઘટના સ્થળે જ મોત થયુ હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના આ બનાવની સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News