મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય જીર્ણોધાર મહોત્સવ-સંતવાણીનું આયોજન મોરબી જીલ્લામાં બહારથી આવેલા કર્મચારી-શ્રમિકોની નજીકના પોલીસ મથકમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં ફેબ્રુઆરી માહિનામાં હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ નલ સે જલ અભિયાન: મોરબીના લાલાપર ગામે પાણીની ટાંકી-પમ્પિંગ મશીનરીનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA બનવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે કાલે સેમિનાર યોજાશે 2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારાના ઉમિયાનગર ગામ પાસે ટ્રેક્ટરમાંથી નીચે પડી ગયેલ આધેડને છાતી અને માથાના ભાગે ઇજા થતાં મોત


SHARE











ટંકારાના ઉમિયાનગર ગામ પાસે ટ્રેક્ટરમાંથી નીચે પડી ગયેલ આધેડને છાતી અને માથાના ભાગે ઇજા થતાં મોત

ટંકારા તાલુકાના ઉમિયા નગર ગામ પાસેથી ટ્રેક્ટર પસાર થતું હતું ત્યારે ટ્રેક્ટર ચાલકે બ્રેક મારતા ટ્રેક્ટરના પંખા ઉપર બેઠેલ આધેડ નીચે પટકાયા હતો અને તેને માથા તેમજ છાતીના ભાગે ગંભીર ઇજા થવાથી તેઓનું મોત થયુ હતું જેથી કરીને હાલમાં ટ્રેક્ટર ચાલક સામે મૃતકના ભાઇએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ ટંકારા તાલુકાના ઉમિયાનગર ગામના રહેવાસી અને હાલમાં સનાળા ગામે ભગડા મામા વાળી શેરીમાં રહેતા અરજણભાઈ સવજીભાઈ બોરસણીયા જાતે પટેલ (ઉંમર ૬૦) એ ટ્રેક્ટર નંબર જીજે ૯ બી ૫૪૯૮ ના ચાલક દુર્લભજીભાઈ રામજીભાઈ રહે. ઉમિયાનગર વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે ઉમિયાનગર ગામની સીમમાંથી આરોપી પોતાના હવાલા વાળું ટ્રેક્ટર લઈને ઢાર ઉતારતા હતા ત્યારે અચાનક તેણે ટ્રેક્ટરની બ્રેક મારી હતી જેથી કરીને ટ્રેક્ટરના જમણી સાઈડના પંખા ઉપર બેઠેલ રમેશભાઈ સવજીભાઈ બોરસણીયા અકસ્માતે નીચે પડ્યા હતા જેથી કરીને તેને છાતી અને માથાના ભાગે ગંભીર ઇજા થતા તેઓનું મોત નિપજ્યુ હતું હાલમાં મૃતકના ભાઈની ફરિયાદ લઈને પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News