મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય જીર્ણોધાર મહોત્સવ-સંતવાણીનું આયોજન મોરબી જીલ્લામાં બહારથી આવેલા કર્મચારી-શ્રમિકોની નજીકના પોલીસ મથકમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં ફેબ્રુઆરી માહિનામાં હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ નલ સે જલ અભિયાન: મોરબીના લાલાપર ગામે પાણીની ટાંકી-પમ્પિંગ મશીનરીનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA બનવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે કાલે સેમિનાર યોજાશે 2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે યુવાને ગળાફાંસો ખાઇને જીવન ટુંકાવ્યુ


SHARE











મોરબીના રફાળેશ્વર ગામે યુવાને ગળાફાંસો ખાઇને જીવન ટુંકાવ્યુ

મોરબી નજીકના રફાળેશ્વર ગામે આવેલ આંબેડકર કોલોની પાસે રહેતા યુવાને પોતાને ઘરની અંદર કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવવાની નોંધ કરીને યુવાને ક્યા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં તપાસ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામે આંબેડકર કોલોનીની પાછળના ભાગમાં રહેતા ભીમાભાઇ કાંતિભાઈ કાંજીયા (ઉંમર ૨૮) નામનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે ઓરડીમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની મૃતક યુવાનના પિતા કાંતિભાઈ મગનભાઈ કાંજીયાએ મોરબી તાલુકા પોલીસની જાણકરી હતી જેથી કરીને પોલીસ ઘટના પહોંચી હતી અને ત્યારબાદ મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા જોકે યુવાને કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઇ એમ.આર. ગામેતી તપાસ ચલાવી રહ્યા છે

બાળકનું મોત નિપજ્યુ

મોરબી નજીકના પાનેલી ગામે રહેતા મુકેશભાઈ આંત્રેશાના ૧૩ વર્ષના દીકરા મેરૂભાઈને કારખાનાની સામેના ભાગમાં હતો ત્યારે ચક્કર આવતા તે પડી ગયો હતો જેથી કરીને તેને બેભાન હાલતમાં સારવાર માટે તેના તેના પિતા મુકેશભાઈ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો જેથી કરીને બાળકના મૃત્યુના બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે 






Latest News