હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે યુવાને ગળાફાંસો ખાઇને જીવન ટુંકાવ્યુ


SHARE





મોરબીના રફાળેશ્વર ગામે યુવાને ગળાફાંસો ખાઇને જીવન ટુંકાવ્યુ

મોરબી નજીકના રફાળેશ્વર ગામે આવેલ આંબેડકર કોલોની પાસે રહેતા યુવાને પોતાને ઘરની અંદર કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવવાની નોંધ કરીને યુવાને ક્યા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં તપાસ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામે આંબેડકર કોલોનીની પાછળના ભાગમાં રહેતા ભીમાભાઇ કાંતિભાઈ કાંજીયા (ઉંમર ૨૮) નામનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે ઓરડીમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની મૃતક યુવાનના પિતા કાંતિભાઈ મગનભાઈ કાંજીયાએ મોરબી તાલુકા પોલીસની જાણકરી હતી જેથી કરીને પોલીસ ઘટના પહોંચી હતી અને ત્યારબાદ મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા જોકે યુવાને કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઇ એમ.આર. ગામેતી તપાસ ચલાવી રહ્યા છે

બાળકનું મોત નિપજ્યુ

મોરબી નજીકના પાનેલી ગામે રહેતા મુકેશભાઈ આંત્રેશાના ૧૩ વર્ષના દીકરા મેરૂભાઈને કારખાનાની સામેના ભાગમાં હતો ત્યારે ચક્કર આવતા તે પડી ગયો હતો જેથી કરીને તેને બેભાન હાલતમાં સારવાર માટે તેના તેના પિતા મુકેશભાઈ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો જેથી કરીને બાળકના મૃત્યુના બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે 




Latest News