મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય જીર્ણોધાર મહોત્સવ-સંતવાણીનું આયોજન મોરબી જીલ્લામાં બહારથી આવેલા કર્મચારી-શ્રમિકોની નજીકના પોલીસ મથકમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં ફેબ્રુઆરી માહિનામાં હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ નલ સે જલ અભિયાન: મોરબીના લાલાપર ગામે પાણીની ટાંકી-પમ્પિંગ મશીનરીનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA બનવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે કાલે સેમિનાર યોજાશે 2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં અશાંતધારાને લઈને દસ્તાવેજની કામગીરી બંધ: રેવન્યુ વકીલોએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું


SHARE











મોરબી શહેરમાં અશાંતધારાને લઈને દસ્તાવેજની કામગીરી બંધ: રેવન્યુ વકીલોએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવામાં આવેલ છે જેથી કરીને અશાંતધારા હેઠળના આજુબાજુના ૫૦૦ મીટરની ત્રીજીયામાં દસ્તાવેજ ન થવાના હુકમને કારણે દસ્તાવેજની કામગીરી બંધ થઈ ગયેલ છે અને વકીલોમાં રોષની લાગણી છે અને આ બાબતે વકીલોએ વિરોધ વ્યક્ત કરીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું છે અને યોગ્ય સ્પષ્ટતા કરવાની માંગ કરેલ છે

મોરબીના રેવન્યુ બાર પ્રેક્ટિશનર એસો.ના વકીલોએ કલેકટરને આવેદન પત્ર આપ્યું છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. જેમાં અશાંતધારા હેઠળના વિસ્તાર તેમજ આજુબાજુના ૫૦૦ મીટરની ત્રીજીયામાં દસ્તાવેજ થઈ શકશે નહીં તેવા હુકમને કારણે દસ્તાવેજની કામગીરી બંધ થઈ ગયેલ છે અને તેમાં કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી જેથી કરીને કેટલો વિસ્તાર તેમજ સર્વ નંબર આવે તેની સ્પષ્ટતા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અત્રે ઉલેખનીય છે કે, ૫૦૦ મીટરની ત્રીજીયામાં દસ્તાવેજ નહિ થઈ શકવાના હુકમથી ૯૦ ટકા દસ્તાવેજની કામગીરી બંધ થઈ છે અને માત્ર ૧૦ ટકા જ કામગીરી ચાલુ રહેતી હોય લોકોને દસ્તાવેજ માટે હાલાકીનો સામનો કરવો પડે છે જેથી કરીને વહેલી સ્પષ્ટતા કરવામાં અવેત તે જરૂરી છે 






Latest News