મોરબીના પોલો સર્કલ પાસે ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા બનેવીનું મોત: સાળો ગંભીર હાલતમાં સારવારમાં ​​​​​​​મોરબી નજીક મોબાઇલ ટાવરમાંથી કાર્ડ, કેબલ વાયર, જમ્પરની ચોરી કરનાર ત્રિપુટી પકડાઈ: ૨.૩૩ લાખનો મુદામાલ કબ્જે મોરબી : પતિએ ધારીયા વડે હુમલો કરતા ઇજા પામેલ પરણીતા રાજકોટ ખસેડાઈ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના 32 માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જિલ્લા ભાજપ દ્વારા બે દિવસીય પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ મહાઅભિયાન-૨૦૨૬ સંપન્ન મોરબીની સર્વોપરી સ્કૂલના વિદ્યાર્થીઓએ એસપી કચેરીની મુલાકાત લીધી મોરબી જલારામ ધામે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૧૫ દર્દીઓએ લાભ લીધો મોરબીમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ 45 કલાક પછી પણ બેકાબૂ: 44.46 કરોડની મગફળીનો જથ્થો બળીને ખાખ, પોલીસ તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં અશાંતધારાને લઈને દસ્તાવેજની કામગીરી બંધ: રેવન્યુ વકીલોએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું


SHARE







મોરબી શહેરમાં અશાંતધારાને લઈને દસ્તાવેજની કામગીરી બંધ: રેવન્યુ વકીલોએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવામાં આવેલ છે જેથી કરીને અશાંતધારા હેઠળના આજુબાજુના ૫૦૦ મીટરની ત્રીજીયામાં દસ્તાવેજ ન થવાના હુકમને કારણે દસ્તાવેજની કામગીરી બંધ થઈ ગયેલ છે અને વકીલોમાં રોષની લાગણી છે અને આ બાબતે વકીલોએ વિરોધ વ્યક્ત કરીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું છે અને યોગ્ય સ્પષ્ટતા કરવાની માંગ કરેલ છે

મોરબીના રેવન્યુ બાર પ્રેક્ટિશનર એસો.ના વકીલોએ કલેકટરને આવેદન પત્ર આપ્યું છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. જેમાં અશાંતધારા હેઠળના વિસ્તાર તેમજ આજુબાજુના ૫૦૦ મીટરની ત્રીજીયામાં દસ્તાવેજ થઈ શકશે નહીં તેવા હુકમને કારણે દસ્તાવેજની કામગીરી બંધ થઈ ગયેલ છે અને તેમાં કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી જેથી કરીને કેટલો વિસ્તાર તેમજ સર્વ નંબર આવે તેની સ્પષ્ટતા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અત્રે ઉલેખનીય છે કે, ૫૦૦ મીટરની ત્રીજીયામાં દસ્તાવેજ નહિ થઈ શકવાના હુકમથી ૯૦ ટકા દસ્તાવેજની કામગીરી બંધ થઈ છે અને માત્ર ૧૦ ટકા જ કામગીરી ચાલુ રહેતી હોય લોકોને દસ્તાવેજ માટે હાલાકીનો સામનો કરવો પડે છે જેથી કરીને વહેલી સ્પષ્ટતા કરવામાં અવેત તે જરૂરી છે 






Latest News