મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીમાં પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડો. જયંતીભાઈ ભાડેશીયાએ સહ પરિવાર કર્યું મતદાન: રાષ્ટ્રહિતમાં થશે મતદાન


SHARE









મોરબીમાં પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડો. જયંતીભાઈ ભાડેશીયાએ સહ પરિવાર કર્યું મતદાન: રાષ્ટ્રહિતમાં થશે મતદાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આજે 89 બેઠકો માટે જ્યારે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે જો વાત કરીએ મોરબીની તો મોરબી માળિયા વિધાનસભા બેઠક વિસ્તાર ની અંદર કુલ મળીને 299 મતદાન મથક ઉપર મતદાનની પ્રક્રિયા સવારે 8:00 વાગ્યાથી શરૂ કરવામાં આવી છે અને મતદારો પૂરા ઉત્સાહ અને ઉમંગ સાથે મતદાન કરવા માટે થઈને મતદાન બુથ ની પાસે લાઈનો લગાવી રહ્યા છે જેમાં યુવાનો, વડીલો, મહિલાઓ સહિતનાઓમાં મતદાન કરવા માટે થઈને ઉત્સાહ જોવા મળી રહ્યુ છે ત્યારે જો વાત કરીએ તો પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડો. જયંતીભાઈ ભાડેશિયાએ તેમના માતા, પત્ની, પુત્ર, પુત્રવધુ અને દીકરી સાથે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ કન્યા છાત્રાલય ખાતેના બૂથમાં મતદાન કર્યું હતું અને મતદાન કર્યા બાદ જયંતીભાઇ ભાડેશીયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ વખતે મતદારોમાં અલગ પ્રકારનો ઉત્સાહ જોવા મળ્યો છે ખાસ કરીને આઠ વાગ્યે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ત્યાર પહેલા જ મોટાભાગના મતદાન મથકો ઉપર મતદારોએ મતદાન કરવા માટે થઈને લાઈનો લગાવી હતી આટલું જ નહીં પરંતુ વહેલું મતદા, રાષ્ટ્રહિતમાં મતદાન આવી અનેક બાબતોને ધ્યાનમાં રાખીને મતદારો દ્વારા ચૂંટણીમાં મતદાન કરવામાં આવી રહ્યું છે ત્યારે આગામી 8 તારીખે સમગ્ર ગુજરાતમાં સરસ મજાનું ચિત્ર જોવા મળશે તેવી લાગણી જયંતીભાઈ ભાડેસીયાએ વ્યક્ત કરી છે 






Latest News