મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં તને કેમ હવા ચડી ગઈ છે તેવું કહીને યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને બે મહિલા સહિત ચાર લોકોએ માર માર્યો


SHARE









મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં તને કેમ હવા ચડી ગઈ છે તેવું કહીને યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને બે મહિલા સહિત ચાર લોકોએ માર માર્યો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઇન્દિરા નગરમાં રહેતા યુવાનને તને કેમ હવા ચડી ગઈ છે તેમ કહીને બે મહિલા સહિત ચાર લોકોએ લોખંડના પાઇપ અને છરી વડે હુમલો કરીને માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલ યુવાન અને અન્ય બે વ્યક્તિ આમ કુલ ત્રણ ઇજાગ્રસ્તોને સારવારમાં લઇને આવેલ હતા અને સારવાર લીધા બાદ યુવાને હાલમાં બે મહિલા સહિત ચાર લોકોની સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઇન્દિરાનગરમાં રામદેવપીરના મંદિર સામે રહેતા ઋષિભાઈ દિનેશભાઈ ચાવડા (ઉંમર વર્ષ ૨૪) એ હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મનસુખભાઈ હનાભાઈ ચાવડા, હકાભાઇ હનાભાઇ ચાવડા, મનિષાબેન હનાભાઈ ચાવડા અને કુસુમબેન હનાભાઈ ચાવડા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તે ઇન્દિરાનગર વિસ્તારમાં અબ્બાસભાઈની દુકાન પાસે ઉભો હતો ત્યારે તને કેમ હવા ચડી ગઈ છે તેવું કહીને તેને મનસુખભાઈ હનાભાઈ ચાવડાએ ગાળો આપી હતી અને ડાબા હાથના ખભા ઉપર તથા છાતીના ભાગે છરી વડે હુમલો કરીને ઇજા કરી હતી. ત્યારબાદ તેની સાથે ઉભેલા બે વ્યક્તિઓ તેને છોડાવવા માટે વચ્ચે પડતા તેને પણ માર માર્યો હતો અને યુવાન તથા તેની સાથે રહેલા વ્યક્તિઓ પોતાના ઘર તરફ જતા હતા ત્યારે મનસુખભાઈ હનાભાઈ ચાવડા, હકાભાઇ હનાભાઈ ચાવડા, મનીષાબેન અને કુસુમબેને ત્યાં આવીને માથાકૂટ કરી હતી અને ઢીકા પાટુનો માર માર્યો હતો. જેથી કરીને ફરિયાદી સહિત ત્રણ વ્યક્તિઓને ઈજા થઈ હોવાથી તેને સારવારમાં આવ્યા હતા અને મારા મારીના આ બનાવની ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News