મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા ક્રિકેટ હેડ કોચ નિશાંત જાની BCCI કોચની પરીક્ષામાં ઉચ્ચક્રમાંક સાથે દ્રિતિય ચરણમાં પ્રમોટ થયા


SHARE









મોરબીમાં રહેતા ક્રિકેટ હેડ કોચ નિશાંત જાની BCCI કોચની પરીક્ષામાં ઉચ્ચક્રમાંક સાથે દ્રિતિય ચરણમાં પ્રમોટ થયા  

મોરબીના જાણીતા ક્રિકેટર અને જીલ્લા ક્રિકેટ એસોસિએશનના મુખ્ય કોચ તથા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની સિનિયર મહિલા ટીમના હેડ બેટિંગ અને ફિલ્ડિંગ કોચ નિશાંત જાનીને વધુ એક સિદ્ધિ સાંપડી છે. તાજેતરમાં BCCI કોચની પરીક્ષાના પ્રથમ ચરણમાં ઉચ્ચક્રમાંક સાથે ઉતીર્ણ થઈને દ્રિતિય ચરણમાં પ્રમોટ થયા છે.

નોંધનીય છે કે,સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તરફથી ક્રિકેટ ક્ષેત્રે કાંઠુ કાઢનાર નામાંકિત ખેલાડીઓને જ BCCIની કોચની પરીક્ષામાં રીફર કરવામાં આવે છે. ત્યારે પોતાની કાબેલિયત બદલ નિશાંત જાનીએ આ પરીક્ષા આપી હતી. જેમાં તેમણે પ્રથમ ચરણનની પરીક્ષા પાસ કરી હતી અને હાલ તેમને દ્રિતિય ચરણમાં પ્રોમોટ કરવામાં આવ્યા છે.  

આ તકે નિશાંત જાનીએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહ તથા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તરફથી મળેલા સહયોગનો બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો આ ઉપરાંત હિતેશ ગોસ્વામી જેઓ લેવલ ૩ ફેકલ્ટી છે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો આ સાથે છેલ્લા 15 વર્ષથી તેમના મેન્ટોર એવા ઉમેશ પટવાલનો પણ નિશાંત જાનીએ ભાવવિભોર થઈને આભાર વ્યક્ત કર્યો હતો. તદુપરાંત મોરબી જીલ્લા ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ કાંતિભાઈ અમૃતિયાનો સતત પ્રેરક માર્ગદર્શન આપવા બદલ તેમનો પણ આભાર માનીને કૃતજ્ઞતા લાગણી વ્યક્ત કરી હતી.






Latest News