મોરબીમાં પાલિકાથી રેલ્વે સ્ટેશન સહિત ચાર નવા રૂટ ઉપર સિટી બસ શરૂ કરવા માંગ
હળવદના ઢવાણામાં વાડી વાવવા માટે રાખનાર દંપતીને ભાગ ન આપવા માટે માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી
SHARE
હળવદના ઢવાણામાં વાડી વાવવા માટે રાખનાર દંપતીને ભાગ ન આપવા માટે માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી
હળવદના ઢવાણા ગામે આદિવાસી દંપતિએ ખેતીની બાવન વીઘા જમીન વાવવા માટે રાખી હતી અને તેમાં કપાસ તેમજ દિવેલાનું વેવતર કર્યું હતું જોકે, પાક તૈયાર થઈ ગયો હતો અને વાડીના મલીકને તેઓને તે પાકમાંથી ત્રીજો ભાગ આપવાનો હતો પરંતુ તે ભાગ આપવો ન પડે તે માટે મહિલાને ગાળો આપી હતી અને તેના પતિને લાકડાના હાથા વડે શરીરે માર માર્યો હતો તેમજ માંથા અને ડાબા ખભામાં ઇજા કરી હતી આટલું જ નહીં વાડીના માલિકના સાળાએ તેઓ ફરિયાદ કરવા માટે જશે તો જીવતા જવા નહીં દઈએ તેવી ધમકી આપી હતી જેથી કરીને મહિલાએ હાલમાં વાડીના માલિક સહિત બે સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મુળ છોટાઉદેપુર જિલ્લાના ચીલીયાવાંટ પતીયાળા ફળીયાના રહેવાસી અને હાલમાં હળવદના ઢવાણા ગામે મુળજીભાઈ રજપુતની વાડીમાં રહીને ખેતીમાં મજૂરી કામ કરતાં અંગીબેન ફતેસિંહભાઈ વાટીયાભાઈ જાતે નાયકા (૫૫) એ હાલમાં વાડીના માલિક મુળજીભાઈ રજપુત રહે. ઢવાણા અને તેના સાળા રણજીતભાઈ રહે. કૈલાશનગર તાલુકો હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી મુળજીભાઈ રજપુતની ઢવાણા ગામે આવેલ બાવન વીઘાની ખેતી ફરીયાદી તથા તેમના પતિએ ત્રીજા ભાગે વાવવા માટે રાખેલ હતી અને ફરીયાદીએ કપાસ તથા દિવેલાના પાકનું વાવેતર કર્યું હતું તે પાક તૈયાર થઈ ગયેલ હતો જે પાકમાં ફરીયાદીને ભાગ ન આપવો પડે તે માટે આરોપી મુળજીભાઈએ વાડીએ આવી આ કામના ફરીયાદી અનુસુચીત જન જાતીના છે તેવી હકીકત જાણતા હોવા છતા ફરીયાદીના પતિને બહાનુ કાઢી ગમે તેમ જાતીય અપમાનીત ગાળો બોલી કોદાળીના લાકડાના હાથા વડે શરીરે માર માર્યો હતો તેમજ માંથામાં અને ડાબા ખભામાં ઇજા કરી હતી તેમજ ફરીયાદીને આ બનાવની જાણ કોઈને કરશો તો તમને જીવતા દાટી દઈશુ તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યાર બાદ ફરિયાદીના પતિને સારવાર માટે હળવદ સરકારી દવાખાને લઈને આવ્યા હતા ત્યાંથી પોલીસ સ્ટેશનને ફરીયાદ કરવા માટે નહિ જવા દેવા વાડીના માલિકોનો સાળો રણજીતભાઈ આવ્યો હતો અને ગમે તેવી ગાળો બોલી સાલા નીચ આદીવાસીઓ અહિંયા કાઠિયાવાડમાં અમે કહીએ તેમ થાય તમારૂ અહિંયા કોઈ સાંભળે નહી તેવુ કહી અમોને દવાખાને રોકી રાખી પોલીસ ફરીયાદ કરવા જવા દીધા ન હતા અને પોલીસ ફરીયાદ કરવા જશો તો તમોને અહીંયાથી જીવતા જવા નહીં દઈએ તેવી ધમકી આપી હતી જેથી કરીને હાલમાં મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇપીસી કલમ ૩૨૩, ૩૨૫, ૩૪૧, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા એટ્રોસીટી એક્ટની કલમ ૩(૧) (R) (S), ૩(૨)(૫-અ) મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવાં માટેની પોલિસેતજવીજ શરૂ કરેલ છે