ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી નજીક પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કુંજ સંકુલ-૨ નું પદ્મશ્રી એવોર્ડ વિજેતા મુકતાબેન ડગલી-પંકજભાઈ ડગલીએ કર્યું ખાતમહુર્ત


SHARE











મોરબી નજીક પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કુંજ સંકુલ-૨ નું પદ્મશ્રી એવોર્ડ વિજેતા મુકતાબેન ડગલી-પંકજભાઈ ડગલીએ કર્યું ખાતમહુર્ત

મોરબીના લક્ષ્મીનાગર પાસે પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કુંજ સંકુલ-૨ નું ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું ત્યારે પદ્મશ્રી એવોર્ડ વિજેતા મુકતાબેન ડગલી અને પંકજભાઈ ડગલી તેમજ સમાજ શ્રેષ્ઠીઓ ત્યાં હાજર રહ્યા હતા અને આઠ કરોડના ખર્ચે પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કુંજ સંકુલ-૨ દાતાઓના સહકારથી બનાવવામાં આવશે

આગમી દિવસોમાં જે પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કુંજ સંકૂલ-૨ ભવન બનાવવામાં આવશે તેમાં ૧૦૦ ફ્લેટ્સ બનાવવામાં આવશે તેમાં તમામ અદ્યતન સુવિધાઑ રાખવામા આવશે અને અત્રે ઉલેખનીય છે કે, પ્રજ્ઞાચક્ષુ તાલીમ કેન્દ્ર ઉદ્યોગગૃહનાં નિર્માણ સાથે એકસો જેટલા પ્રજ્ઞાચક્ષુ પરિવાર સ્વમાન ભેર ગૌરવ પૂર્ણ જીવન જીવી શકે તેવા ઉદ્દાત હેતુ સાથે આઠ કરોડનાં ખર્ચે નિર્માણ આ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવશે આ ઉપરાંત આગામી દિવસોમાં અમદાવાદ ખાતે એક હજાર અને ઉમરગામ ખાતે પણ ૫૦૦ જેટલા પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્ર માટેની કાર્યવાહી કરવામાં આવશે આ તકે સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ સેવાકુંજનાં અધ્યક્ષા અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા શ્રીમતી મુકતાબેન ડગલી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, સમાજ પાસે પાણી માંગો અને દૂધ આપે છે

મોરબી લક્ષ્મીનગર ખાતે પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કુંજ સંકુલ-૨ નું સંસ્થાનાં સમાજના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિવત સાથે ખાત મહુર્ત કરવામાં આવ્યું હતું હાલ જે જગ્યાએ સંકૂલ છે ત્યાં જગ્યા ઓછી પડતાં હવે લક્ષ્મીનગર ગામ પાસે આવેલ આર્યવ્રત સ્કુલ બાજુમાં સેવા સંકુલ-૦૨ ઊભું કરવામાં આવશે આ સંકૂલના દાતા પરિવારના ડો.કુસુમબેન અમૃતલાલ દોશીનું નામ સંકુલને આપવામાં આવશે હાલમાં મોરબી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા સંકુલની જવાબદારી સાંભળતા હાતીમભાઈ રંગવાલાએ જણાવ્યુ હતું કે, મોરબીના ઉદ્યોગકારો સહિતના દાતાઓ તરફથી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્રના દરેક કાર્યમાં ખૂબ જ સારો સહકાર આજની તારીખે મળી રહ્યો છે હાલમાં પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા સંકુલ-૧ માં ૪૦ ફ્લેટમાં ૪૦ જેટલા પ્રજ્ઞાચક્ષુ પરિવાર અને ૧૬૦ જેટલા પ્રજ્ઞાચક્ષુ યુવાનો સ્વમાન ભેર જીવનજીવી રહ્યા છે આટલું જ નહીં કોઈના ઉપર નિર્ભર ન રહેવું પડે તે માટે કેટલાક પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ ઓધ્યોગિક એકમોમાં રોજગારી માટે કામ કરવા પણ જાય છે






Latest News