મોરબીમાં મારામારીના બનાવમાં થયેલ ફરીયાદમાં આરોપીઓની રેગ્યુલર જામીન અરજી મંજુર
SHARE
મોરબીમાં મારામારીના બનાવમાં થયેલ ફરીયાદમાં આરોપીઓની રેગ્યુલર જામીન અરજી મંજુર
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સહિતા હેઠળ ફરીયાદ નોંધાયેલ હતી આ બનાવમા ફરીયાદી સંજયભાઇ શિવાભાઇ કાલાવાડીયા પાસે વેપાર ધંધાના કમીશનના રૂપિયા માંગતો હોઇ જે બનાવમા આરોપીએ ફરીયાદી ને માર મારેલ હોઇ જાન થી મારી નાખવાની ધમકી આપેલ હોઇ જે બનાવ અંગે મોરબી સિટી એ ડીવી. પોલીસ સ્ટેશન મા આરોપીઓ વિરૂધ્ધ ફરિયદ નોધાયેલ હોઇ આરોપી તરફે મોરબીના જાણીતા ધારાશાસ્ત્રી કાનજી એમ. ગરચર રોકાયેલ હતા, અને તેમાં ધારદાર દલીલ કરેલ હોય અને જણાવેલ કે આરોપીઓએ આવો કોઈ ગુન્હો કરેલ નથી કે આવા કોઈ ગુન્હો અંગે જાણતા નથી તેમ છતાં ખોટી રીતે સંડોવી દીધેલ છે. આ બનાવમાં આરોપી સીધી કે આડકતરી રીતે કોઈ ભાગ ભજવેલ નથી તેમજ હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના વિવિધ ચુકાદાઓને ધ્યાને લઈ આરોપીને રેગ્યુલર જામીન અરજી મંજુર કરવા દલીલ કરેલ હતી અને આરોપીને શરતી જામીન પર છોડવાનો હકમ કરેલ છે.આરોપી તરફે મોરબીના જાણીતા ધારાશાસ્ત્રી કાનજી એમ.ગરચર રોકાયેલ હતાં.