મોરબી સિરામિક એસો.ના પ્રમુખોએ લીધી નર્મદા બાલઘરની મુલાકાત
SHARE
મોરબી સિરામિક એસો.ના પ્રમુખોએ લીધી નર્મદા બાલઘરની મુલાકાત
બાળકોને ટેકનોલોજીનું જ્ઞાન આપી બાળકને પોતાના પગભર કરવાના ઉદેશ સાથે મોરબીમાં નર્મદા બાલઘર ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી સિરામિક એસો.ના પ્રમુખો મુકેશભાઈ કુંડારીયા અને હરેશભાઈ બોપલીયા દ્વારા નર્મદા બાલઘરની મુલાકાત લેવામાં આવી હતી
મોરબીને ભારતનું સિલીકોન વેલી બનાવવાનું સ્વપ્ન ભરતભાઈ મહેતા છે. તેમના દ્વારા નર્મદાબેન સુખલાલ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે અને આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને ટેકનોલોજીનું જ્ઞાન આપી બાળકને પોતાના પગભર કરવાનો અને બાળકોનો સર્વાંગી વિકાસ કરવાનો છે. જેમાં કરીક્યુલમ, કો- કરીક્યુલમનો સમાવેશ કરેલ છે. કરીક્યુલમમાં ધો. ૬ થી ૧૦ ના કેમેસ્ટ્રી, ફિઝીક્સ, બાયોલોજીના પ્રયોગોની કીટ તથા પ્રયોગપોથી ગુજરાતી, હિન્દી, અંગ્રેજી એમ ત્રણ ભાષામાં આપવામાં આવે છે. જે નર્મદા બાલઘરના પોર્ટલ WWW.NBGSCIENTIST.COM ઉપર છે અને તે મોરબીના બાળકો માટે ફ્રી છે. કો- કરીક્યુલમમાં ડ્રોન, ૩ડી પ્રિંટિંગ, ઓગમેંટેડ રિયાલીટી, વર્ચ્યુયલ રિયાલીટી, ડિજિટલ ડ્રોઈંગ, કમ્પ્યુટર કોડિંગ, લેન્ગ્વેજ જગલર, ડિજિટલ એનસાઈક્લોપીડિયા શીખવવામાં આવે છે. હાલ હમણાં મોરબીની ૭૫ શાળાઓને ૩ડી પ્રિન્ટર આપવામાં આવ્યા છે તેમજ વર્ચ્યુઅલ રીયાલીટી ગ્લાસ આપવામાં આવ્યા છે જે શિક્ષણમાં આવનાર સમયમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે