મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના કૃષ્ણનગર ગામે રહેતા યુવાનનું મોત


SHARE











મોરબીના કૃષ્ણનગર ગામે રહેતા યુવાનનું મોત

મોરબી તાલુકાના કૃષ્ણનગર (કોયલી) ગામે રહેતા યુવાનને ઘરે હાર્ટ એટેકનો હુમલો આવતા તેનું મોત નીપજયુ હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.બનાવ સંદર્ભે વધુમાં તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના કૃષ્ણનગર (કોયલી) ગામે રહેતા ચંદુભાઈ ભીખાભાઈ ભીમાણી નામનો ૪૬ વર્ષનો યુવાન તેના ઘરે હતો ત્યારે ગઈકાલે તેને હાર્ટ એટેક આવતા ઘટના સ્થળે જ તેઓનું મોત નિપજયુ હતું.જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવતા બનાવની જાણ થવાથી હાલમાં મોરબી તાલુકા પોલીસ મથકના વિજયભાઈ ડાંગર દ્વારા આ અંગે તપાસ ચલાવામાં આવી રહી છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામ પાસેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવવામાં ઈજા પામેલા જશોદાબેન પ્રેમજીભાઈ સોલંકી અને હેત્વીબેન મુકુંદભાઈ સોલંકી (ઉમર ૪) રહે. શોભેશ્વર રોડ સામાકાંઠે મોરબી-૨ ને ઇજાઓ પહોંચતા બંનેને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જેથી હાલમાં તાલુકા પોલીસ મથકના વી.એસ.ડાંગર દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.જ્યારે મોરબીના લખધીરપુર રોડ ઉપર એન્ટિક સીરામીકથી આગળના ભાગે થયેલ વાહન અકસ્માતના બનાવમાં ઈજા પામેલા રાજકુમાર નામના ૪૫ વર્ષના યુવાનને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને અહીં તે બેભાન હોય તેને રાજકોટ લઈ જવા માટે આગળની તજવીજ શરૂ કરવામાં આવી રહી હતી દરમ્યાનમાં તે ભાનમાં આવતા હોસ્પિટલ સુત્રોને કંઈપણ જાણ કર્યા વિના તે દવાખાનેથી ભાગી છુટ્યો હતો હાલ બનાવને પગલે તાલુકા પોલીસ મથકના વિજયભાઈ ડાંગર આગળની તપાસ ચલાવી રહ્યા છે.

મારામારીના બનાવમાં ઈજા

મોરબી તાલુકાના બાદનપર (આમરણ) ગામે રહેતા મહેન્દ્રભાઈ મોહનભાઈ સાવરીયા (૨૮), મોહનભાઈ હીરાભાઈ સાવરીયા (૫૬) અને મનોજભાઈ હીરાભાઈ સાવરીયા (૩૬) ને આમરણ (બાદનપર) ગામે વાડી વિસ્તારમાં મારામારીના બનાવમાં ઇજા પહોંચતા ત્રણેયને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જેથી હાલમાં તાલુકા પોલીસ મથકના અજીતસિંહ પરમાર દ્વારા બનાવ અંગે નોંધ કરીને મારામારીના કારણ અંગે આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.






Latest News