ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના માણાબા રિક્ષા પલટી જતાં વૃદ્ધા સહિતનાઓને ઇજા: ગુનો નોંધાયો


SHARE











માળીયા (મી)ના માણાબા રિક્ષા પલટી જતાં વૃદ્ધા સહિતનાઓને ઇજા: ગુનો નોંધાયો

માળીયા મીયાણા તાલુકાના માણાબા ગામના પાટિયા પાસેથી રિક્ષા પસાર થતી હતી ત્યારે રિક્ષા ચાલકે તેના સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવી દેતા રિક્ષા પલટી મારી ગઈ હતી જેથી કરીને તેના બેઠેલા લોકોને ઇજાઓ થતાં તેને સારવારમાં ખસેડાયા હતા અને ત્યાર બાદ ઇજા પામેલ મહિલાએ માળીયા તાલુકા પોલીસ સ્ટેશને રિક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાની હદમાં આવતા માણાબા ગામના પાટીયા પાસે રીક્ષા પલટી મારી ગઈ હતી જેથી કરીને રિક્ષામાં બેઠેલા સમજુબેન ગંગારામભાઈ સિસણોદા (૬૦) રહે. જાજસર તાલુકો માળીયા મિયાણા વાળાને તેમજ અન્ય લોકોને ઇજાઓ થયેલ હતી જેથી કરીને તે તમામ લોકોને સારવારમાં લઈ જવામાં આવ્યા હતા જો કે, સમજુબેન ગંગારામભાઈ સિસણોદાને વધુ ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ હતા અને હાલમાં અકસ્માતના બનાવની માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સમજુબેન ગંગારામભાઈ સિસણોદા (૬૦)એ રિક્ષા નંબર જીજે ૧૩ વી ૫૫૨૪ ના ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે બનાવની નોંધ કરી આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News