મોરબીમાં દલવાડી સર્કલથી પંચાસર ચોકડી વચ્ચે રોડ સાઈડમાંથી ધૂળ-મેટલ ઉપાડવા કોંગ્રેસનાં આગેવાનની રજૂઆત માળીયા (મી)નાં સોનગઢ નજીક ખાનગી કંપનીની વીજ પોલ નમી ગયો મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળી નિમિતે દરરોજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર: મોરબીમાં આવેલ પેકેજિંગના યુનિટોને ટકાવી રાખવા માટે 15 થી 20 ટકા જેટલો ભાવ વધારો નિશ્ચિત મોરબીના સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક સિસ્ટર નિવેદિતા એવોર્ડથી સન્માનિત મોરબીમાં સિરામિકના કારખાના બંધ હોય એસપી મુકેશ પટેલે ઉદ્યોગકારોને કર્યા મહત્વપૂર્ણ સૂચનો મોરબીમાં પાણીથી શેરી ધોતી મહિલાને પાડોશી મહિલા સહિત ત્રણ લોકોએ માથાકૂટ કરીને માર માર્યો ટંકારામાં પડતર જીનમાંથી 144 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો
Breaking news
Morbi Today

હળવદના રણજીતગઢ ગામની સીમમાં પસાર થતી નર્મદાની કેનાલમાં ડૂબીને મરણ પામેલ ત્રણેય યુવાનોની ઓળખ મળી


SHARE













હળવદના રણજીતગઢ ગામની સીમમાં પસાર થતી નર્મદાની કેનાલમાં ડૂબીને મરણ પામેલ ત્રણેય યુવાનોની ઓળખ મળી

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રણજીતગઢ ગામની સીમમાં એસી એગ્રો ટેકનોલોજી નામના રોટાવેટર બનાવવાના કારખાનાની પાછળથી પસાર થતી નર્મદાની કેનાલમાં ગત તા.૧-૧૨ ના રોજ ત્રણ યુવાનો નર્મદાની કેનાલમાં ડૂબ્યા હતા અને ત્રણેયના મૃતગેહો જ બહાર કાઢવામાં આવ્યા હતા જે અંગે હળવદ પોલીસમાં નોંધ થવા પામી છે.

આ અંગે હાલમાં શ્રવણ ઈશ્વરભાઇ કડલીયા જાતે ઠાકોર (ઉ.વ.૬૦) ધંધો ખેતીકામ રહે.વરણ તા.ડીસા જી.બનાસકાંઠાએ હળવદ પોલીસમાં જાહેર કર્યું હતું કે કેવારામ સવસીરામ ઠાકોર (ઉ.વ.૨૩) રહે.ભમરીયા તા. રાણીવાડા જી.જાલોર રાજસ્થાન, અલ્પેશભાઇ શ્રવણભાઇ કડલીયા જાતે ઠાકોર (ઉ.વ.૧૮) રહે.વરણ તા.ડીસા જી.બનાસકાંઠા અને મહેન્દ્રભાઇ વાલારામ ડાભી જાતે કોળી (ઉ.વ.૧૮) રહે ભમરીયા તા.રાણીવાડા જી.જાલોર રાજસ્થાન રણજીતગઢ ગામની સીમમા એસી એગ્રો ટેકનોલોજી નામના રોટોવેટર બનાવવાના કારખાનાની પાછળ આવેલ નર્મદા કેનાલમા ન્હાવા માટે જતા નર્મદા કેનાલના પાણીમા ત્રણેય તણાઇ ડુબી જતા ત્રણેયના મોત નિપજેલ છે.હાલમાં એમ.એમ.સદાદીયા તપાસ ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં ઇજા

જામનગર ખાતે આવેલ ગુરુદ્વારા ચોકડી પાસે રહેતા રંભીબેન દેવાયતભાઈ લાઠીયા (૬૫) અને પીંભીબેન અરજણભાઈ વસરા (૬૦) નામના બે વૃદ્ધાઓ જામનગરના જોડીયા તાલુકાના માવના ગામ પાસે આવેલ ગામના પાટીયા પાસેથી રિક્ષામાં બેસીને જતા હતા ત્યારે તેઓની રીક્ષા ત્યાં પલટી મારી જતા ઇજાગ્રસ્ત થયેલા રંભીબેન અને પીંભીબેનને સારવાર માટે મોરબી ખસેડાયા હતા અને પ્રાથમીક સારવાર બાદ બંનેને વધુ સારવાર માટે હાલમાં રાજકોટ લઈ જવામાં આવ્યા આવવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.




Latest News