ધ્રાંગધ્રા-હળવદમાં પ્રકાશ વરમોરા ૩૨૦૦૦ થી વધુ મતે શાનદાર વિજય
મોરબી જિલ્લાની ત્રણેય બેઠક ઉપર કમળ ખિલાવવા માટે મતદારો-કાર્યકરોનો આભાર: રણછોડભાઈ દલવાડી
SHARE
મોરબી જિલ્લાની ત્રણેય બેઠક ઉપર કમળ ખિલાવવા માટે મતદારો-કાર્યકરોનો આભાર: રણછોડભાઈ દલવાડી
ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરી કરવામાં આવી હતી ત્યારે મોરબી જીલ્લામાં આવેલ ત્રણેય વિધાનસભા બેઠક ઉપર ભાજપનું કમળ ખીલી ઉઠ્યું છે ત્યારે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડીએ દ્વારા જીત બદલ સર્વેનો આભાર વ્યક્ત કર્યો છો
મોરબી જિલ્લામાં મોરબી બેઠક પર કાંતિલાલ અમૃતિયા, ટંકારા બેઠક પર દુર્લભજી દેથરીયા અને વાંકાનેર બેઠક પર જીતુ સોમાણીનો વિજય થયો છે. ત્યારે ભાજપના ઉમેદવારોને વિજય બનાવવા મતે મતદારો, ભાજપ પરિવાર સહિતનાઓનો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડીએ આભાત વ્યક્ત કરેલ છે તેની સાથો સાથ ભાજપ પ્રદેશના હોદ્દેદારો, સાંસદો, જિલ્લા ભાજપના હોદ્દેદારો, પ્રદેશ તથા જિલ્લાના મોરચા-સેલના સર્વે હોદ્દેદારો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, પાલિકાના ચૂંટાયેલા સર્વે પદાધિકારીઓ, પેઈજ સમિતિના સભ્યોથી લઈને મંડલ પ્રમુખ સુધીના તમામનો આભાર વ્યક્ત કરેલ છે