મોરબી માળિયા વિધાનસભા બેઠકમાં ત્રીપલ એમ ફેક્ટર ન ચાલ્યુ: કાંતિભાઈ અમૃતિયાનો જય જયકાર
મોરબીના મહેન્દ્રનગર ગામ સહિત બેઠકમાં મોટા માણસોને મતદારો આંટી ગયા: કાંતિભાઈ અમૃતિયા
SHARE
મોરબીના મહેન્દ્રનગર ગામ સહિત બેઠકમાં મોટા માણસોને મતદારો આંટી ગયા: કાંતિભાઈ અમૃતિયા
મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે ભાજપના વિજેતા ઉમેદવાર અને લોકલાડીલા નેતા કાંતિભાઈ અમૃતિયાની પરિણામ જાહેર થયા બાદ રાત્રે સભા યોજાઈ હતી તેમાં મોટી સંખ્યામાં મહેન્દ્રનગર ગામના લોકો તેમજ ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને ટેકેદારો હાજર રહ્યા હતા ત્યારે ખાસ કરીને કાંતિભાઈ અમૃતિયાએ મહેન્દ્રનગર ચોકડી પાસે બનનારા ઓવરબ્રિજને લઈને લોકોની સુવિધામાં વધુ વધારો થાય તે પ્રકારની કામગીરી કરવામાં આવશે તેવી પાણીદાર ખાતરી આપી હતી અને આ તકે તેમણે મતદારોનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે “મોટા માણસને મતદારો આંટી ગયા” તેવો ઘાટ મહેન્દ્રનગર ગામ સહિત મોરબી માળિયા વિધાનસભા બેઠકમાં ઊભો કર્યો છે જે ઋણ હું ક્યારેય ભૂલીશ નહીં અને ખાસ કરીને ચૂંટણી પ્રચાર દરમિયાન ઘણા લોકોએ સોશિયલ મીડિયામાં કાંતિભાઈ મચ્છુ નદીમાં ઝુલતો પુલ તૂટ્યો ત્યારે છબછબીયા કરતા હતા તેવું કહ્યું હતું તેવું બોલનારા શખ્સોને શોધી લાવો અને ચાર કલાક ઈ ગટરના પાણીમાં તે છબછબિયા કરશે તો તેને હું રૂપિયા આપીશ તેવું પણ કહ્યું હતું