ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામ સહિત બેઠકમાં મોટા માણસોને મતદારો આંટી ગયા: કાંતિભાઈ અમૃતિયા


SHARE











મોરબીના મહેન્દ્રનગર ગામ સહિત બેઠકમાં મોટા માણસોને મતદારો આંટી ગયા: કાંતિભાઈ અમૃતિયા

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે ભાજપના વિજેતા ઉમેદવાર અને લોકલાડીલા નેતા કાંતિભાઈ અમૃતિયાની પરિણામ જાહેર થયા બાદ રાત્રે સભા યોજાઈ હતી તેમાં મોટી સંખ્યામાં મહેન્દ્રનગર ગામના લોકો તેમજ ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને ટેકેદારો હાજર રહ્યા હતા ત્યારે ખાસ કરીને કાંતિભાઈ અમૃતિયાએ મહેન્દ્રનગર ચોકડી પાસે બનનારા ઓવરબ્રિજને લઈને લોકોની સુવિધામાં વધુ વધારો થાય તે પ્રકારની કામગીરી કરવામાં આવશે તેવી પાણીદાર ખાતરી આપી હતી અને આ તકે તેમણે મતદારોનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે મોટા માણસને મતદારો આંટી ગયા તેવો ઘાટ મહેન્દ્રનગર ગામ સહિત મોરબી માળિયા વિધાનસભા બેઠકમાં ઊભો કર્યો છે જે ઋણ હું ક્યારેય ભૂલીશ નહીં અને ખાસ કરીને ચૂંટણી પ્રચાર દરમિયાન ઘણા લોકોએ સોશિયલ મીડિયામાં કાંતિભાઈ મચ્છુ નદીમાં ઝુલતો પુલ તૂટ્યો ત્યારે છબછબીયા કરતા હતા તેવું કહ્યું હતું તેવું બોલનારા શખ્સોને શોધી લાવો અને ચાર કલાક ઈ ગટરના પાણીમાં તે છબછબિયા કરશે તો તેને હું રૂપિયા આપીશ તેવું પણ કહ્યું હતું






Latest News