મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

ઉલ્ટી ગંગા: મોરબી માળિયા વિધાનસભામાં રાજ્યના મંત્રીના ગામમાં ભાજપને ખાધ !


SHARE









ઉલ્ટી ગંગા: મોરબી માળિયા વિધાનસભામાં રાજ્યના મંત્રીના ગામમાં ભાજપને ખાધ !

મોરબી માળિયા વિધાનસભા બેઠક માટેની ચૂંટણી યોજાઈ હતી અને તેનું પરિણામ પણ જાહેર થઈ ગયું છે ત્યારે કેટલીક આચાર્યજનક બાબતો સામે આવી રહી છે જેમાં ખાસ કરીને મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય અને રાજ્યના માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજાના વતનમાંથી ભાજપને ઓછા મત મળ્યા છે

ગત પહેલી તારીખના રોજ મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી અને તેનું મતદાન થયું હતું ત્યારબાદ બુથ વાઈઝ આંકડાઓનું આંકલન કાંતિભાઈ અમૃતિયાની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું જોકે ત્યારે ખરેખર કોને કેટલા મત મળ્યા છે તેનું સ્પષ્ટ ચિત્ર ન આવ્યું હોય પરંતુ ગઈકાલે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે પોલિટેકનિક કોલેજ ખાતે મત ગણતરી કરવામાં આવી હતી ત્યારે મોરબીના એક એક વિસ્તારની અંદર આવેલા બુથમાં ક્યાં ઉમેદવારને કેટલા મત મળ્યા છે તેનું સ્પષ્ટ ચિત્ર સામે આવ્યું છે ત્યારે હાલમાં મળતી માહિતી મુજબ મોરબી માળિયા વિધાનસભામાં આવતા રાજ્યના માજી પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજાના માદરે વતન ચમનપર ગામમાં ભાજપને ખાધ મળી છે ! જે આચાર્ય જનક બાબત કહી શકાય સૂત્રો પાસેથી જાણવા મળતી હોય તો પ્રમાણે ચમનપર ગામમાં કુલ ૨૩૩ લોકોનું મતદાન છે જેમાંથી ૧૪૫ લોકોએ મતદાન કર્યું હતું અને તે પૈકીના ૧૧૫ મત કોંગ્રેસના ઉમેદવારને મળ્યા છે ૨૭ મત ભાજપના ઉમેદવારને મળ્યા છે અને બે મત આમ આદમી પાર્ટીના ઉમેદવારને મળ્યા છે આમ મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય અને રાજ્યના માજી પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજાના વતન ચમનપર ગામમાંથી પણ મંત્રી ભાજપને લીડ અપાવી શક્યા નથી તેવું ચિત્ર સામે આવી રહ્યું છે






Latest News