મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના નાનીવાવડી ગામે યુવાને ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું


SHARE







મોરબીના નાનીવાવડી ગામે યુવાને ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

મોરબી તાલુકાના નાનીવાવડી ગામે ઇન્દિરા આવાસ યોજનાના મકાનમાં રહેતા યુવાને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલ મારફતે આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી હતી અને હવે પોલીસે યુવાને કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના નાનીવાવડી ગામે ઇન્દિરા આવાસ યોજનામાં રહેતા મનીષ નરેશભાઈ મકવાણા (૨૫) નામના યુવાને પોતાના ઘરની અંદર કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકો પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો હતો તે દિશામાં હાલમાં પોલીસ તપાસ કરી રહી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સોઓરડી પાસે વરિયાનગર શેરી-૬ રહેતા જુસબભાઈ સુલેમાનભાઈ પલેજા જાતે સંધિ (૬૯) પોતાનું મોપેડ લઈને મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ પાર્શ્વનાથ ચેમ્બર પાસેથી પસાર થઈ રહ્યા હતા અને શોભેશ્વર રોડ જતા હતા ત્યારે રોડ ક્રોસ કરતાં સમયે ડમ્પર નંબર જીજે ૧૨ બીવી ૦૩૪૨ ના ચાલકે તેનું ડમ્પર બેફિકરાઈથી ચલાવીને મોપેડને હડફેટે લીધું હતું જેથી ફરિયાદી જુસબભાઈ સુલેમાનભાઈ પલેજાને શરીરે અને માથામાં ઇજાઓ થયો હોવાથી તેને સારવારમાં લઈને આવ્યા હતા અને હાલમાં તેણે ડમ્પર ચાલક હુસેનભાઇ ઈબ્રાહીમભાઇ મીયાણા (૪૦) રહે. ભરાસર વાળાની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તેની ધરપકડ કરેલ છે






Latest News