મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીના નીચી માંડલ ગામે બાથરૂમની છત ઉપરથી પડી જતાં માથામાં ઈજા પામેલા યુવાનનું સારવારમાં મોત


SHARE













મોરબીના નીચી માંડલ ગામે બાથરૂમની છત ઉપરથી પડી જતાં માથામાં ઈજા પામેલા યુવાનનું સારવારમાં મોત

મોરબી નજીકના નીચ માંડલ ગામે પોતાના ઘરની અંદર કામગીરી દરમિયાન ચોકડીમાં પડી જવાથી ઈજા પામેલા યુવાનને પ્રથમ સારવાર માટે મોરબી લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જોકે ટૂંકી સારવારમાં તેનું મોત નીપજયું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના નીચે માંડલ ગામે રહેતા ચંદુભાઈ દેવજીભાઈ કુંડારીયા (૪૮) પોતાના ઘરે અકસ્માતે ફળિયામાં આવેલ ચોકડીમાં પડી ગયા હતા જેથી તેને માથા અને કમરના ભાગ ઇજા થઈ હતી માટે તેને પ્રથમ સારવારમાં મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ ખાતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હોય આ બનાવની રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલમાં આ બનાવની તપાસ કરી રહેલા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જીગ્નેશાબેન કણસાગરા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે ઘરના બાથરૂમની છત ઉપર મુકેલ પાણીની ટાંકી સફાઈ કરતા હતા દરમિયાન તે ફળિયામાં આવેલ ચોકડીમાં પડી ગયા હતા જેથી કરીને તેને માથા અને કમરના ભાગે ઈજાઓ થઈ હતી અને યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે

પરણીતાનું મોત

સુરેન્દ્રનગરના મુળી તાલુકાના દાધોલીયા ગામની રહેવાસી કોમલબેન નરેશભાઈ બારૈયા નામની ૨૧ વર્ષીય મહિલાને બેભાન હાલતમાં મોરબીની આયુષ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી અને ત્યાં કોમલબેનને મૃત જાહેર કરીને બનાવની જાણ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે કરવામાં આવી હતી જેથી ત્યાંના પી.બી. ઝાલા દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં ખુલ્યુ હતું કે કોમલબેન બારૈયાએ ઝેરી દવા પી લીધી હતી જેથી તેમનું મોત નીપજ્યું હતું વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે તેણીનો લગ્નગાળો અઢી વર્ષનો હતો અને સંતાનમાં એક બાળક છે. હાલ કયા કારણોસર કોમલબેને અંતિમ પગલું ભર્યું..? તે દિશામાં આગળની તપાસ માટે મોરબી પોલીસે મુળી પોલીસને જાણ કરી હતી.






Latest News