મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક યુનિટમાં મશીનના બેલ્ટમાં હાથ આવી જતા મજૂર યુવાનનો હાથ ખભેથી કપાઈ ગયો


SHARE















મોરબીના સિરામિક યુનિટમાં મશીનના બેલ્ટમાં હાથ આવી જતા મજૂર યુવાનનો હાથ ખભેથી કપાઈ ગયો

મોરબીના ગુંગણ ગામની સીમમાં આવેલા સિરામીકના કારખાનામાં કામ દરમિયાન મશીનના કન્વેયનર બેલ્ટમાં હાથ આવી જતા ખભાના ભાગેથી હાથ કપાઈ જતા યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળે છે પોલીસે બનાવવાની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તાલુકાના ગુંગણ ગામની સીમમાં આવેલ ગ્રેસઆર્ટ સીરામીક પ્રાઇવેટ લિમિટેડ નામના યુનિટના લેબર કવાટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા સંજયભાઈ સીતારામ સાહની નામના ૨૭ વર્ષીય મજૂરને સારવાર માટે અહીંની ડો.સાગર પટેલની હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને બનાવ અંગે વધુમાં મળતી માહિતી મુજબ કામ દરમિયાન મશીનના કન્વયેનર બેલ્ટમાં હાથ આવી જતા ખભાના ભાગેથી હાથ કપાઈ જવાથી સંજય સાહની નામના યુવાને સારવારમાં ખસેડાયો હતો બનાવને પગલે હાલમાં તાલુકા પોલીસ દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી છે.

વાહન અકસ્માત

મોરબી તાલુકા પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના રવાપર રોડ ઉપર રહેતા ગંગારામ નામના ૨૫ વર્ષના યુવાનને મોરબીના રફાળેશ્વર-લીલાપર રોડ ઉપર આવેલ તીર્થક પેપર મિલની નજીક વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો જ્યાંથી તેને વધુ સારવાર માટે હાલમાં રાજકોટ લઈ જવાયો હોવાનું જાણવા મળેલ છે બનાવ અંગે તપાસ ચલાવી રહેલા તાલુકા પોલીસ મથકના અજીતસિંહ પરમારના જણાવ્યા પ્રમાણે ઇજાગ્રસ્ત ગંગારામ (૨૫) સ્કુટી લઈને જતો હતો ત્યારે તેનો અકસ્માત થયો હતો જોકે સ્કુટી સ્લીપ ખાઈ ગયેલ છે કે અન્ય કોઈ સાથે વાહન અકસ્માત થયો છે તે હાલ જાણવા મળેલ નથી કારણ કે રાજકોટ ખાતેથી હજુ સુધી ભોગ બનેલ ગંગારામ નામની વ્યક્તિનો પતો લાગ્યો નથી






Latest News