મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીના વાવડી ગામેથી ૩૦ હજારના બાઈકની ચોરી


SHARE













મોરબીના વાવડી ગામેથી ૩૦ હજારના બાઈકની ચોરી

મોરબી નજીકના વાવડી ગામે ઘર પાસે પાર્ક કરેલ રૂપિયા ત્રીસ હજારની કિંમતનું બાઈક ચોરાઈ ગયેલ હોય ભોગ બનેલ યુવાન દ્વારા વાહન ચોરી અંગે ફરિયાદ નોંધવવામાં આવતા તાલુકા પોલીસ દ્વારા આ અંગે આગળની તપાસ કરવામાં આવી રહી છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના નાની વાવડી ગામે બગથળા રોડ ઉપર આવેલ ઉમિયાપાર્ક સોસાયટીમાં રહેતા હરીસિંહ નારસિંહ સોઢા જાતે દરબાર નામના ૨૪ વર્ષના યુવાને ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તા.૨-૧૨ ના રાત્રીના ૧૧ વાગે તેણે પોતાનું વર્ષ ૨૦૨૦ ની સાલનું હોન્ડા બાઇક નંબર જીજે ૩૬ એએ ૨૮૨૬ કિંમત રૂપિયા ૩૦,૦૦૦૦ પોતાના ઘરની પાસે પાર્ક કર્યું હતું જે રાત્રિ દરમિયાન ચોરી થઈ ગઈ હતી ઘરમેળે તપાસ કરવા છતાં પણ ચોરાયેલ બાઈકનો પતો ન લાગતા ફરિયાદ નોંધાવવામાં આવેલી હોય હાલમાં પીએસઆઇ બી.એમ. બગડા દ્વારા બાઈક ચોરને પકડવા માટે આગળની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

વાહન અકસ્માત

મોરબીના હળવદ રોડ ઉપર આવેલા ઊંચી-નીચી માંડલ ગામની વચ્ચે વાહન અકસ્માતના બનાવમાં ઈજા પામેલા કાશીક મંડલ નામના ૧૭ વર્ષના યુવાનને ૧૦૮ ના જયેશભાઈ દ્વારા અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો કે જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને વધુ સારવાર માટે હાલ તેને રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે બનાવની નોંધ કરીને તાલુકા પોલીસ મથકના જિજ્ઞાસાબેન કણસાગરા દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.જ્યારે મોરબીના સામાકાંઠે પીપળી રોડ ઉપર આવેલા તિરુપતિ સીરામીક સામે પણ અન્ય એક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઈજાઓ થતા હસમુખભાઈ રાઠવા (૨૩) રહે. હનુમાન મંદિર પાછળ લાલપર તાલુકો જીલ્લો મોરબીને ઇજાઓ પહોંચતા શહેરના સામાકાંઠેની શિવમ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.






Latest News