મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનામાં જયસુખ પટેલની ધરપકડ-પાલિકાને સુપરસીડ કરવાની માંગ
SHARE
મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનામાં જયસુખ પટેલની ધરપકડ-પાલિકાને સુપરસીડ કરવાની માંગ
મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો અને દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ૧૩૫ લોકોના મોત થયા હતા તેમ છતાં પણ હજુ સુધી મુખ્ય આરોપી પોલીસની પકડમાં આવેલ નથી અને હતભાગી પરિવારોને ન્યાય મળ્યો નથી જેથી કરીને મૃતકોના આત્માની શાંતિ માટે સામાજિક કાર્યકરો દ્વારા શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મૃતકના પરિવારોજનો સહિતના લોકોએ આહુતિ આપી હતી અને ત્યારે સામાજિક કાર્યકરો દ્વારા જયસુખ પટેલની ધરપકડ અને પાલિકાને સુપરસિડ કરવાની માંગ કરી હતી
મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, જીજ્ઞેશભાઈ પંડ્યા, અશોકભાઈ ખારચરિયા, મુસાભાઈ બ્લોચ દ્વારા ઝૂલતા પુલ દુર્ઘટનાના મૃતકોના પરિવારોને સાથે રાખી સ્વામી નારાયણ મંદિર નજીક તમામ મૃતક પરિવારોને યોગ્ય ન્યાય મળે તેના માટે શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. અને તેમાં મૃતકોના આત્માની શાંતિ માટે મૃતકોના પરિવારજનો સહિતના લોકોએ આહુતિ આપી હતી ત્યાર બાદ સામાજિક કાર્યકરો અને મૃતકોના પરિવારજનોએ જણાવ્યુ હતું કે, આ દુર્ઘટનાના આટલા દિવસો પછી પણ હજુ ઓરેવાના જયસુખ પટેલને પોલીસ પકડી શકી નથી અને મૃતકોના પરિવારોને ન્યાય મળ્યો નથી જેથી કરીને જયસુખ પટેલની ધરપકડ કરવામાં આવે તેમજ મોરબી પાલિકાને સુપરસિડ કરીને દોષીતો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે અને જો પગલાં નહીં લેવામાં આવે તો સામાજિક કાર્યકરો સાથે લડત ચાલવવામાં આવશે તેવું એલાન કરવામાં આવ્યું છે