મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબી, ટંકારા અને વાંકાનેરમાં ભાજપને પ્રચંડ સમર્થન આપનાર મોરબીવાસીઓનો આભાર: જયુભા જાડેજા


SHARE









મોરબી, ટંકારા અને વાંકાનેરમાં ભાજપને પ્રચંડ સમર્થન આપનાર મોરબીવાસીઓનો આભાર: જયુભા જાડેજા

મોરબી જીલ્લામાં વિધાનસભાની ત્રણ બેઠક આવે છે તે તમામને અંકે કરવામાં માટે ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો સહિતના કામે લાગ્યા હતા તેના ફળ સ્વરૂપે આ જિલ્લાની ત્રણેય બેઠક ઉપર કમળ ખીલી ઉઠ્યું છે ત્યારે મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજાએ ભાજપ ઉપર આશીર્વાદ વરસાવનારા મતદારો સહિત સર્વેનો આભર વ્યક્ત કરેલ છે

 મોરબીની મોરબી-માળિયા બેઠક, ટંકારા-પડધરી બેઠક અને વાંકાનેર-કુવાડવાની બેઠક ઉપર ક્રમશઃ કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા અને જીતુભાઈ સોમાણીનો જંગી લીડથી વિજય થયેલો છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની બેદાગ કાર્યશૈલી, અમિતભાઈની કોઠાસૂઝ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપર વિશ્વાસ મૂકીને મોરબી જિલ્લા નાગરિકોએ ભાજપ ઉપર પ્રેમ વરસાવ્યો છે અને મતરૂપી જે આશીર્વાદ આપ્યા છે જેના થકી અહીંના ત્રણે ત્રણ ઉમેદવાર અને બાજુના જિલ્લાની બે સીટ મળી પાંચેય સીટો ભાજપે અંકે કરી છે ત્યારે અહીંના રાજપુત આગેવાન અને મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી જયુભા ઉદયસિંહ જાડેજા દ્વારા મોરબીના સર્વે રહેવાસીઓ મતદારોનો જાહેર આભાર માનવામાં આવ્યો હતો અને જે પ્રકારે પ્રજાએ ભાજપ ઉપર પ્રેમ વરસાવ્યો છે તે રીતે જ હવે અમારી (ભાજપ) ની ફરજ બને છે કે લોકોની જે કોઇ આશા અપેક્ષાઓ છે તે પૂરી કરવી અને તેના માટે અમે કોઇ કચાશ રાખીશું નહીં તેમ જયુભા જાડેજાએ યાદીમાં જણાવ્યું હતું.






Latest News