મોરબી, ટંકારા અને વાંકાનેરમાં ભાજપને પ્રચંડ સમર્થન આપનાર મોરબીવાસીઓનો આભાર: જયુભા જાડેજા
મતદારોના આશીર્વાદથી દુર્લભજીભાઈએ લલિતભાઈને હરાવ્યા તે નાની સિધ્ધી નથી: રણછોડભાઈ દલવાડી
SHARE
મતદારોના આશીર્વાદથી દુર્લભજીભાઈએ લલિતભાઈને હરાવ્યા તે નાની સિધ્ધી નથી: રણછોડભાઈ દલવાડી
૬૬-ટંકારા પડધરી વિધાનસભા બેઠક ભાજપના જિલ્લા પ્રમુખ અને કોંગ્રેસનાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ અમને સામને ચૂંટણી લડી રહ્યા હતા જેમાં કોંગ્રેસનાં ઉમેદવારને હરાવીને ભાજપના જીલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા વિજય બન્યા હતા જે મતદારોના આશીર્વાદથી મળેલ નાની સિધ્ધી નથી તેવું મોરબી જીલ્લા ભાજપના કાર્યકારી અધ્યક્ષએ જણાવ્યુ છે
તાજેતરમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ એવા લલીતભાઈ કગથરાને હરાવીને દુર્લભજીભાઈ દેથરીયાએ લોકોને વિશ્વાસ આપેલ છે કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતમાં જે કાર્યો થઈ રહયા છે તેમાં લોક વિશ્વાસ છે. અને દુર્લભજીભાઈ વિજય બનતા તેઓની આભા-પ્રતિભા તથા તેઓની કાર્યપદ્ધતિથી લોકોએ ખોબલે ખોબલે મત આપી લલીતભાઈ કગથરાને હરાવ્યા છે આ જોતા જ એવુ લાગે છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષને હરાવી દુર્લભજીભાઈ જાયન્ટ કીલર સાબીત થયેલ છે. તેવું મોરબી જીલ્લા ભાજપના કાર્યકારી અધ્યક્ષ રણછોડભાઈ દલવાડીએ યાદીમાં જણાવેલ છે.









