મોરબીના નવાડેલા રોડ ઉપર આવેલ દુકાનમાં શોર્ટ સર્કીટના લીધે આગ, ઈજા કે જાનહાની ન થતા રાહત
SHARE
મોરબીના નવાડેલા રોડ ઉપર આવેલ દુકાનમાં શોર્ટ સર્કીટના લીધે આગ, ઈજા કે જાનહાની ન થતા રાહત
મોરબીના નવાડેલા રોડ ઉપર આવેલ દુકાનની અંદર શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હતી જોકે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગે આવીને આગને કાબુમાં લીધી હતી.સદભાગ્ય કોઈને ઈજા કે જાનહાનીનો બનાવ ન બન્યો હોય વેપીરીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. જાણવા મળચી વિગતો મુજબ મોરબીના નવાડેલા રોડ ઉપર આવેલ રાજ મંદિર એન્ડ મૂર્તિ ભંડાર નામની દુકાનમાં બપોરના એકાદ વાગ્યાના અરસામાં શોર્ટ સર્કિટના લીધે આગ લાગવાનો બનાવ બન્યો હતો જેથી કરીને બાજુમાં શોપિંગ મોલ ધરાવતા પાલિકા સદસ્ય દિપકભાઈ પોપટ દ્વારા પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને આસપાસના દુકાનદારો આવી ગયા હતા ફાયરનું વાહન આવતા ફાયરના સ્ટાફે પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી જોકે દુકાનમાં રહેલ ચીજ વસ્તુઓમાં નુકસાની પહોંચી હતી સદભાગ્યે આગના બનાવમાં કોઈ દાજ્યુ ન હોય અને કોઈને ઈજા પહોંચી ન હોય દુકાનદારોએ રાતનો શ્વાસ લીધો હતો.