મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

ટંકારા દોશી વિદ્યાલયના ભૂતપૂર્વ છાત્રોનું સ્નેહ મિલન યોજાશે


SHARE













ટંકારા દોશી વિદ્યાલયના ભૂતપૂર્વ છાત્રોનું સ્નેહ મિલન યોજાશે

આગામી 18 મીના રોજ યોજનાર સ્નેહ મિલન માટે ગૂગલ લિંક ઉપર રજીસ્ટ્રેશન કરવું

ટંકારા સ્થિત એમ.પી.દોશી વિદ્યાલય ખાતે ભણી ગયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે આગામી તા.18 ડિસેમ્બરના રોજ સ્નેહ મિલન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે, આ સ્નેહમિલન કાર્યક્રમમાં જોડાવા માટે વોટ્સએપ ગૃપ અને ગૂગલ ફોર્મ લિંક પણ કાર્યરત કરવામાં આવી છે.

ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવતી ટંકારાની એમ.પી.દોશી વિદ્યાલય 1964 મા કાર્યરત થયા બાદ અહીંથી ભણી ગણીને અનેક વિદ્યાર્થીઓ સફળ ખેડૂતથી લઈ ઉચ્ચ અધિકારી અને રાજકીય ક્ષેત્રે સફળ બન્યા છે ત્યારે શાળાના ટ્રસ્ટી અને શાળા પરિવાર દ્વારા જુના સંસ્મરણો વાગોળવા આગામી તા.18 ડિસેમ્બરને રવિવારના રોજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે ખાસ સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટેના સ્નેહ મિલન કાર્યક્રમમાં જોડાવા માટે શાળા પરિવાર દ્વારા મોબાઈલ નંબર 6351584117 ઉપર વોટ્સએપ ગ્રુપ કાર્યરત કરી ગૂગલ ફોર્મ મુકવામાંમા આવ્યું છે જેથી કાર્યક્રમમાં જોડાવવા ઇચ્છતા તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશન ફરજિયાત રાખવામાં આવ્યું છે.સમગ્ર આયોજનને સફળ બનાવવા ટ્રસ્ટી મંડળ શાળાના આચાર્ય વી.એ.ખાંભલા, તથા શાળા પરિવાર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.






Latest News