મોરબીમાં સિનીયર સીટીઝન સંસ્થા, સહકાર ભારતી, વેપારી મિત્ર મંડળ અને જલારામ મંદિર દ્વારા રાહત દરે અડદીયા વિતરણ
SHARE
મોરબીમાં સિનીયર સીટીઝન સંસ્થા, સહકાર ભારતી, વેપારી મિત્ર મંડળ અને જલારામ મંદિર દ્વારા રાહત દરે અડદીયા વિતરણ
મોરબીમાં જુદી-જુદી સંસ્થાઓ દ્વારા શિયાળાને અનુલક્ષીને લોકો માટે રાહતદરે અડદીયા વિતરણ કરવાનું આયોજન કરવામાં આવેલ છે. સિનીયર સીટીઝન સંસ્થા (વરિષ્ઠ નાગરીક મંડળ), સહકાર ભારતી, વેપારી મિત્ર મંડળ તેમજ જલારામ મંદિર દ્વારા શુધ્ધ ઘીમાંથી બનાવાયેલ અડદીયાનું રાહતદરે વિતરણ કરવા આયોજન કરાયું છે.
જેમાં સિનીયર સીટીઝન કાઉન્સીલ તેમજ સહકાર ભારતી દ્વારા શુધ્ધ ઘીના અડદીયા બનાવીને આગામી તા. 15-12ના રોજ ગુ.બોર્ડ શનાળા રોડ ખાતે આવેલ એ.કે. કોમ્યુનિટી હોલ ખાતેથી તેમજ શનાળા રોડ ગુરુ દત્તાત્રેય મંદિર પાસે આવેલ ડો. બી.કે. લેહરુના દવાખાનેથી રાહતદરે અડદીયા મળશે તેમ સંસ્થાના પ્રમુખ ડો. બી.કે. લહેરુ, મંત્રી મહેશભાઈ ભટ્ટ અને ખજાનચી ત્રંબકભાઈ મહેતાએ યાદીમાં જણાવેલ છે.
મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ ખાતે આવેલ જલારામ પ્રાર્થના મંદિર ખાતે પણ અડદીયા બનાવીને સર્વજ્ઞાતિય લોકો માટે તેનું રાહતદરે વિતરણ કરવામાં આવી રહ્યું છે.જેમાં નામ નોંધાવવાની જરુર નથી. હાજર સ્ટોકમાં હશે ત્યાં સુધી રાહતદરે અડદીયા મળશે તેમ સંસ્થાના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી તેમજ નિર્મિતભાઈ કક્કડે યાદીમાં જણાવેલ છે. જ્યારે મોરબી વેપારી મિત્ર મંડળ દ્વારા પણ શુધ્ધ ઘીના બનાવાયેલ અડદીયા, બદામપાક, ગુંદરપાક વગેરે બોક્સ પેકીંગમાં વિતરણ કરવા આયોજન કરાયેલ છે. વધુ વિગત માટે ઠા.દલીચંદ જેરામ પરાબજાર, જયવિન પ્રોવિઝન (ભગત) ગાંધીનગર ગ્રીન ચોક, ચંદન કિરાના કુળદેવી પાન સામે સામાકાંઠે અથવા મહેક એજન્સી માળીયા સંઘવાણી શેરીમાં સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.