મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં સિનીયર સીટીઝન સંસ્થા, સહકાર ભારતી, વેપારી મિત્ર મંડળ અને જલારામ મંદિર દ્વારા રાહત દરે અડદીયા વિતરણ


SHARE







મોરબીમાં સિનીયર સીટીઝન સંસ્થા, સહકાર ભારતી, વેપારી મિત્ર મંડળ અને જલારામ મંદિર દ્વારા રાહત દરે અડદીયા વિતરણ

મોરબીમાં જુદી-જુદી સંસ્થાઓ દ્વારા શિયાળાને અનુલક્ષીને લોકો માટે રાહતદરે અડદીયા વિતરણ કરવાનું આયોજન કરવામાં આવેલ છે. સિનીયર સીટીઝન સંસ્થા (વરિષ્ઠ નાગરીક મંડળ), સહકાર ભારતી, વેપારી મિત્ર મંડળ તેમજ જલારામ મંદિર દ્વારા શુધ્ધ ઘીમાંથી બનાવાયેલ અડદીયાનું રાહતદરે વિતરણ કરવા આયોજન કરાયું છે.

જેમાં સિનીયર સીટીઝન કાઉન્સીલ તેમજ સહકાર ભારતી દ્વારા શુધ્ધ ઘીના અડદીયા બનાવીને આગામી તા. 15-12ના રોજ ગુ.બોર્ડ શનાળા રોડ ખાતે આવેલ એ.કે. કોમ્યુનિટી હોલ ખાતેથી તેમજ શનાળા રોડ ગુરુ દત્તાત્રેય મંદિર પાસે આવેલ ડો. બી.કે. લેહરુના દવાખાનેથી રાહતદરે અડદીયા મળશે તેમ સંસ્થાના પ્રમુખ ડો. બી.કે. લહેરુ, મંત્રી મહેશભાઈ ભટ્ટ અને ખજાનચી ત્રંબકભાઈ મહેતાએ યાદીમાં જણાવેલ છે.

મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ ખાતે આવેલ જલારામ પ્રાર્થના મંદિર ખાતે પણ અડદીયા બનાવીને સર્વજ્ઞાતિય લોકો માટે તેનું રાહતદરે વિતરણ કરવામાં આવી રહ્યું છે.જેમાં નામ નોંધાવવાની જરુર નથી. હાજર સ્ટોકમાં હશે ત્યાં સુધી રાહતદરે અડદીયા મળશે તેમ સંસ્થાના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી તેમજ નિર્મિતભાઈ કક્કડે યાદીમાં જણાવેલ છે. જ્યારે મોરબી વેપારી મિત્ર મંડળ દ્વારા પણ શુધ્ધ ઘીના બનાવાયેલ અડદીયા, બદામપાક, ગુંદરપાક વગેરે બોક્સ પેકીંગમાં વિતરણ કરવા આયોજન કરાયેલ છે. વધુ વિગત માટે ઠા.દલીચંદ જેરામ પરાબજાર, જયવિન પ્રોવિઝન (ભગત) ગાંધીનગર ગ્રીન ચોક, ચંદન કિરાના કુળદેવી પાન સામે સામાકાંઠે અથવા મહેક એજન્સી માળીયા સંઘવાણી શેરીમાં સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.






Latest News