મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

માળિયા (મી)ના બગસરા ગામમાં ગેરકાયદેસર કબજો દુર નહિ થાય તો હાઈકોર્ટમાં જવાની ચીમકી


SHARE







માળિયા (મી)ના બગસરા ગામમાં ગેરકાયદેસર કબજો દુર નહિ થાય તો હાઈકોર્ટમાં જવાની ચીમકી

માળિયા મિયાણા તાલુકાના બગસરા ગામ પાસે સરકૃ જમીન ઉપર ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો છે જેથી કરીને બગસરા ગ્રામ પંચાયત દ્વારા કલેકટરને હાલમાં રજૂઆત કરવામાં આવી છે અને સરકારી જમીન ઉપર કરાયેલ દબાણે દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો તંત્ર દ્વારા કામ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવાની ચિંમકી ઉચ્ચારી છે

માળિયા મિયાણા તાલુકાની બગસરા ગ્રામ પંચાયતના સરપંચ ગૌરીબેન નાગજીભાઇ પીપળીયાએ કલેકટરને રજુઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યું છે કે, બગસરા ગામ પાસે દરિયાકાંઠે રહેતા લોકોએ ગેરકાયદેસર માથાભારે ઇસમો દ્વારા દબાણ કરવામાં આવ્યું છે અને ત્યાં તે લોકો વસવાટ પણ કરી રહ્યા છે અને આં શખ્સો દ્વારા દરીયાની સર્વે નંબરની તથા નીલ સર્વે નંબરની જમીનો ઉપર બાંધકામ કરવામાં આવ્યું છે આટલું જ નહીં પરંતુ ગ્રામજનો ત્યાં જાય તો તેને ધમકીઓ આપવામાં આવે છે આ દરીયાઇ જમીનમાં અમારો કબ્જા છે તેવું કહીને ધમકાવીને ગેરકાયદે કાચા પાળા બનાવી લેવામાં આવેલ છે અને નીલ સર્વે નંબર ઉપર ગેરકાયદે મીઠુ ઉત્પાદન કરવાના હેતુથી મીઠા સર્વે નંબર ઉપર પ્લાન ઉભા કરેલા છે અને મીઠી જમીનને ખારી જમીન કરવામાં આવી રહી છે. જેથી માલધારીઓ ધાસ-ચારો નાશ પામી રહ્યો છે. અને મીઠી જમીન પર ગેરકાયદે મીઠાના ઢગલા કરવામાં આવી રહ્યા છે આં મુદે અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી જો કે, કોઈ પગલાં લેવામાં આવેલ નથી અને પરંતુ બગસરાની હદમાં આવતી તમામ જમીન પર સર્વે કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો આ પ્રશ્નો નહિ ઉકેલાય તો આગમી દિવસોમાં હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવાની ચીમકી ઉચ્ચરી છે






Latest News