ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

માળિયા (મી)ના બગસરા ગામમાં ગેરકાયદેસર કબજો દુર નહિ થાય તો હાઈકોર્ટમાં જવાની ચીમકી


SHARE













માળિયા (મી)ના બગસરા ગામમાં ગેરકાયદેસર કબજો દુર નહિ થાય તો હાઈકોર્ટમાં જવાની ચીમકી

માળિયા મિયાણા તાલુકાના બગસરા ગામ પાસે સરકૃ જમીન ઉપર ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો છે જેથી કરીને બગસરા ગ્રામ પંચાયત દ્વારા કલેકટરને હાલમાં રજૂઆત કરવામાં આવી છે અને સરકારી જમીન ઉપર કરાયેલ દબાણે દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો તંત્ર દ્વારા કામ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવાની ચિંમકી ઉચ્ચારી છે

માળિયા મિયાણા તાલુકાની બગસરા ગ્રામ પંચાયતના સરપંચ ગૌરીબેન નાગજીભાઇ પીપળીયાએ કલેકટરને રજુઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યું છે કે, બગસરા ગામ પાસે દરિયાકાંઠે રહેતા લોકોએ ગેરકાયદેસર માથાભારે ઇસમો દ્વારા દબાણ કરવામાં આવ્યું છે અને ત્યાં તે લોકો વસવાટ પણ કરી રહ્યા છે અને આં શખ્સો દ્વારા દરીયાની સર્વે નંબરની તથા નીલ સર્વે નંબરની જમીનો ઉપર બાંધકામ કરવામાં આવ્યું છે આટલું જ નહીં પરંતુ ગ્રામજનો ત્યાં જાય તો તેને ધમકીઓ આપવામાં આવે છે આ દરીયાઇ જમીનમાં અમારો કબ્જા છે તેવું કહીને ધમકાવીને ગેરકાયદે કાચા પાળા બનાવી લેવામાં આવેલ છે અને નીલ સર્વે નંબર ઉપર ગેરકાયદે મીઠુ ઉત્પાદન કરવાના હેતુથી મીઠા સર્વે નંબર ઉપર પ્લાન ઉભા કરેલા છે અને મીઠી જમીનને ખારી જમીન કરવામાં આવી રહી છે. જેથી માલધારીઓ ધાસ-ચારો નાશ પામી રહ્યો છે. અને મીઠી જમીન પર ગેરકાયદે મીઠાના ઢગલા કરવામાં આવી રહ્યા છે આં મુદે અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી જો કે, કોઈ પગલાં લેવામાં આવેલ નથી અને પરંતુ બગસરાની હદમાં આવતી તમામ જમીન પર સર્વે કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો આ પ્રશ્નો નહિ ઉકેલાય તો આગમી દિવસોમાં હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવાની ચીમકી ઉચ્ચરી છે






Latest News