માળિયા (મી)ના બગસરા ગામમાં ગેરકાયદેસર કબજો દુર નહિ થાય તો હાઈકોર્ટમાં જવાની ચીમકી
મોરબીના મમુદાઢી હત્યા કેસમાં પકડાયેલા આરોપીના ૧૪ દિવસના રિમાન્ડ મંજૂર
SHARE
મોરબીના મમુદાઢી હત્યા કેસમાં પકડાયેલા આરોપીના ૧૪ દિવસના રિમાન્ડ મંજૂર
મોરબીના ભક્તિનગર સર્કલ પાસે મમુદાઢીની કાર ઉપર ફાયરિંગ કરીને તેની હત્યા કરવામાં આવી હતી આ ગુનામ ચાર આરોપીઓને પકડવાના બાકી છે જે પૈકીનાં એક આરોપીને પકડવામાં આવ્યો હતો અને આં આરોપીને ગુજસીટોકની સ્પેશ્યલ કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટે આરોપીના ૧૪ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે જેથી કરીના હત્યાના ચકચારી કેસમાં મુખ્ય આરોપીને પકડવા સહિતની દિશામાં પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે
મોરબીના ભક્તિનગર સર્કલ પાસે ગત તા. ૮/૯/૨૦૨૧ ના રોજ કાર ઉપર ફાયરિંગ કરીને મમુદાઢીની હત્યા કરવામાં આવી હતી જે ચકચારી હત્યા કેસમાં પાછળથી પોલીસે ગુજસીટોકનો ઉમેરો કર્યો હતો અને આ ગુનામ પહેલા પોલીસે કુલ મળીને ૧૪ આરોપીને ઝડપી લીધા હતા જો કે, ચાર આરોપીને પકડવાના બાકી હતા તે પૈકીનાં એક આરોપીની મોરબીની લીલપર ચોકડી પાસેથી પોલીસે ધરપકડ કરી હતી અને આરોપી હુશેનશા ઉર્ફે હકો આહમદશા શાહમદાર જાતે ફકીર રહે. વજેપર મેઈન રોડ દરગાહ પાસે મોરબી વાળાને રિમાન્ડની માંગણી સાથે રાજકોટમાં આવેલ ગુજસીટોકની સ્પેશ્યલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને સરકારી વકીલે કરેલી દ્લિલને ધ્યાને લઈને કોર્ટે ગંભીર ગુનામાં પકડાયેલા આરોપીના ૧૪ દિવસ એટ્લે કે આગામી તા ૨૭ સુધી ના રિમાન્ડ મંજૂર કરેલ છે જેથી મોરબીના ડીવાયએસપી ઝાલાએ તેની ટીમ દ્વારા મુખ્ય આરોપી આરીફ મિર સહિત બાકીના ત્રણ આરોપીઓને પકડવા માટેની તજવીજ કરવામાં આવશે તેની સાથોસાથ જુદાજુદા મુદાઓની તપાસ કરવામાં આવશે તેવું જાણવા મળેલ છે