મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીની ઝૂલતો પુલ દુર્ઘટનામાં દોષીત અધિકારી-પદાધિકારી સામે નામ જોગ ફરિયાદ નોંધવા કોંગ્રેસની માંગ


SHARE







મોરબીની ઝૂલતો પુલ દુર્ઘટનામાં દોષીત અધિકારી-પદાધિકારી સામે નામ જોગ ફરિયાદ નોંધવા કોંગ્રેસની માંગ

મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો જેથી કરીને ૧૩૫ લોકોના મોત નિપજ્યાં હતા તો પણ હજુ સુધી આ ગુનામાં મુખ્ય આરોપીને પકડવામાં આવેલ નથી ત્યારે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં મહામંત્રીએ આ દુર્ઘટનામાં દોષીતો સામે નામ જોગ ફરિયાદ નોંધવામાં આવે અને તેની ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ જીલ્લા કોંગ્રેસ કાર્યલય ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં મહામંત્રી મનોજભાઇ પનારા, મોરબી તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ કે.ડી. પડસુંબિયા, શહેર કોંગ્રેસનાં પ્રમુખ રાજુભાઇ કાવર  સહિતના કોંગ્રેસનાં આગેવાનો હાજર રહ્યા હતા અને ત્યારે પત્રકાર પરિષદમાં મનોજભાઈ પનારાએ જણાવ્યું હતું કે, માત્ર પાલિકના સુપરસીડ કરવાથી લોકોને ન્યાય મળશે નહીં તેના માટે આ ઘટનામાં દોષીતોની સામે નામ જોગ ફરિયાદ કરવામાં આવે તે જરૂરી છે અને આરોપીને જેલના સળિયાની પાછળ નાખવામાં આવે તેવી માંગ કરી છે આ ઘટના પાલિકાના અધિકારી, પદાધીકારી કે પછી કલેક્ટર જે કોઈ પણ દોષિત હોય તેની સામે નામજોગ ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરેલ છે વધુમાં એવો આક્ષેપ પણ કર્યો હતો કે, આ ઘટનામાં સરકાર તેના પક્ષ, નેતા અને અધિકારીઓને બચાવવાના પ્રયાસ કરી રહી છે જો કે, આ કામ આપવા માટે જે કરાર આપવામાં આવ્યો છે તેમાં જે લોકોના નામ અને સહી છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે તે અનિવાર્ય છે






Latest News