ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં રોટરી ક્લબ દ્વારા રવાપર ગામે ફ્રી નિદાન કેમ્પ યોજાશે


SHARE













મોરબીમાં રોટરી ક્લબ દ્વારા રવાપર ગામે ફ્રી નિદાન કેમ્પ યોજાશે

રોટરી ક્લબ ઓફ મોરબી અને હેલ્થ પ્લસ ફિઝિયોથેરાપી એન્ડ રીહેબ સેન્ટર દ્વારા આગામી તા. ૧૮ ને રવિવારે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ કેમ્પ રવાપર ગામ ખાતે બાલકેશ્વર મહાદેવ મંદિર સામે ઉમા હોલમાં રાખવામા આવ્યો છે

આ કેમ્પ સવારે ૯ થી ૧ સુધી ચાલશે અને તેમાં નિઃશુલ્ક નિદાન કરી આપવામાં આવશે આ કેમ્પમાં ડો. પ્રતીક દેસાઈ, ડો. મોસમી ભટાસણા, ડો. ટ્વિંકલ દેત્રોજા, ડો. યોગીતા જેતપરિયા, ડો. દેવાંશી વસીયાણી, ડો વિશ્વાસ સદાતીયા અને ડો ધારા ચારોલા સેવા આપશે. જેથી કરીને આ ફ્રી નિદાન કેમ્પનો લાભ લેવા માટે દર્દીઓએ રજિસ્ટ્રેશન વહેલા કરાવવા આયોજકોએ જણાવ્યુ છે અને રજિસ્ટ્રેશન ૯૮૯૮૦ ૭૧૪૭૫ તેમજ ૯૦૧૬૫૫૮૯૭૭ ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે. અને કેમ્પમાં આવેલા દર્દીઓને સારવારમાં ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે અને કેમ્પમાં દર્દીઓને તેની જૂની ફાઇલ અને રિપોર્ટ સાથે રાખવા માટે ડો. પ્રતીક દેસાઈએ જણાવ્યુ છે

અનોખી પહેલ

હાલમાં ઠંડી વધી રહી છે ત્યારે જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવાની ભાગના સાથે રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા લોકો પાસેથી જુના ગરમ કપડાં એકત્રિત કરવામાં આવશે અને રોટરી ક્લબ દ્વારા નિલકંઠ વિદ્યાલય પાસે, રવાપર રોડ, મોરબી ખાતે તા ૧૬ અને ૧૭ ના રોજ લોકો પાસેથી સવારે ૧૦ થી ૧ અને બપોરે ૩ થી ૬ વાગ્યા સુધી જુના ગરમ કપડાં એકત્રિત કરવામાં આવશે જેમાં જુના સ્વેટર, શાલ, જેકેટ, ટોપી, મોજા, મફલર વગેરે આપી શકશે અને આ કપડાને જરૂરિયાતમંદ લોકો સુધી પહોચડવામાં આવશે અને વધુ માહિતી માટે અશોકભાઈ મહેતા (૯૯૭૮૪ ૪૨૮૫૧) નો સંપર્ક કરવા જણાવાયું છે.

આયુષ્યમાન કાર્ડનો કેમ્પ

મોરબીમાં પ્રાગટ્ય કલીનિક દ્વારા આગામી ૧૮ ડિસેમ્બરબ રોજ આયુષ્યમાન કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં વિનામૂલ્યે મોરબીની જનતાને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે. અને આ કેમ્પ તા ૧૮/૧૨ ને રવિવારે બપોરના ૩થી ૭ વાગ્યા દરમ્યાન યોજાશે અને વીસીપરામાં આવેલ આંબેડકર કોલોનીમાં ડો. પરેશ એમ. પારીઆના પ્રાગટ્ય કલીનિક ખાતે આયુષ્યમાન કાર્ડ કેમ્પ રાખવામા આવેલ છે અને તેના માટે આવકનો દાખલો, રેશન કાર્ડ અને આધાર કાર્ડ સહિતના જરૂરી ડોક્યુમેન્ટ સાથે રાખવા જણાવ્યુ છે






Latest News