મોરબી બાર એસો.ના પ્રમુખ સહિતના હોદેદારો માટે આજે મતદાન: સાંજે ફેંસલો
મોરબીની નવયુગ ગ્રૂપ ઓફ કોલેજમાં યુવાનો-યુવતીઓને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે જાગ્રત કરતો સેમિનાર યોજાયો
SHARE
મોરબીની નવયુગ ગ્રૂપ ઓફ કોલેજમાં યુવાનો-યુવતીઓને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે જાગ્રત કરતો સેમિનાર યોજાયો
મોરબીની નવયુગ ગ્રુપ ઓફ કોલેજ દ્વારા આજના યુવાનો અને યુવતીઓને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે જાગ્રત કરવા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ગાયત્રી પરિવાર દ્વારા મુખ્ય વક્તા અશોકભાઈ સૈની અંબાજી ગાયત્રી મંદિર થી પધાર્યા હતા અને બીકોમ તેમજ બીએડ કોલેજના યુવાનો અને યુવતીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અને વિશેષમાં એમને જણાવ્યું કે "આજના વાલીની લાંબા સમયથી ફરિયાદ ચાલી રહી છે કે, ભારતીય યુવાઓ અમેરિકન અને યુરોપીયન સંસ્કૃતિથી અત્યંત પ્રભાવિત છે. ભારત અર્થતંત્ર, ભોજન, સંસ્કૃતિ સાથે વૈશ્વિક પર્યાવરણના સંદર્ભે ઝડપથી વિકાસ કરી રહ્યુ છે. ઉપરાંત આપણા યુવાનોએ ભારતીય સંસ્કૃતિ અને ભારતની સમૃદ્ધિ ભૂલવી જોઈએ નહીં. દેશ સહેલાઈથી ટેકનોલોજીમાં હરણ ફાળ ભરી રહ્યો છે. ત્યારે દરેક વ્યક્તિમાં સંઘર્ષ છે કારણ કે સંસ્કૃતિ આધ્યાત્મિકતા બુદ્ધિને ચોક્કસ રીતે ધારદાર કરે છે. આ સિદ્ધાંત ભૂતકાળમાં ખૂબ જ ભવ્યતા અને હોશિયારીથી પ્રસ્તુત કરવામા આવ્યો હતો. પણ બસો વર્ષની ગરીબીને કારણે, તે સમય સાથે ખોવાઈ ગયું છે. દરેક પેઢીને તેને ફરી આકારમાં લાવવા માટે મુક્તિ અને કલ્યાણ માટે અસરકારક સાધન બની રહે." આ સેમિનારને સફળ બનાવવા બીકોમના પ્રિન્સિપાલ નિલેશભાઈ મીરાણી, બીએડના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ સાપરિયા, કેમ્પસ ડાયરેક્ટર યતિનભાઈ રાવલ અને સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અને આ સેમિનાર માટે સંસ્થાના વડા પી.ડી. કાંજીયાએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું