મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

ઝુલતા પુલ દુર્ઘટના પછી નવો ધડાકો : મોરબી પાલિકામાં નવ મહિનામાં નથી બોલાવ્યું જનરલ બોર્ડ !


SHARE







ઝુલતા પુલ દુર્ઘટના પછી નવો ધડાકો: મોરબી પાલિકામાં નવ મહિનામાં નથી બોલાવ્યું જનરલ બોર્ડ !

પાલિકા અધિનિયમ મુજબ સ્થાનિક સ્વરાજની સંસ્થામાં લોકોની સુખકરીના કામને વેગ આપવા માટે દર ત્રણ મહિને જનરલ બોર્ડની બેઠક બોલાવવાની હોય છે જો કે, મોરબી પાલિકામાં ભાજપની સ્પષ્ટ બહુમતી હોવા છતાં પણ પાલિકામાં છેલ્લા નવ માહિનામાં પાલિકા અધિનિયમનો ઉલાળ્યો કરવામાં આવ્યો હોય તેવો ઘાટ જોવા જોવા મળી રહ્યો છે અને હાલમાં ચોકાવનારો ખુલાસો થયો  છે જેમાં પાલિકામાં લોકોની સુખાકારીના કામને વેગ આપવા માટે જનરલ બોર્ડની બેઠક બોલાવવામાં આવી જ નથી જેથી કરીને પાલિકામાં શું ચાલી રહ્યું છે તે સૌથી મોટો સવાલ છે

મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની ઘટનાથી લઈને આજ સુધીમાં ઘણા બધા ચોકાવનારા ખુલાસા થયેલ છે તેવામાં વધુ એક ચોકાવનાર માહિતી સામે આવી રહી છે જેથી કરીને પાલિકામાં ચાલતી કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે અત્રે ઉલેખનીય છે કે, હાઇકોર્ટમાં હાલમાં ઝૂલતા પુલની ઘટના મુદે સુઓમોટો અને પીએલઆઈની સુનાવણી ચાલી રહી છે ત્યારે પાલિકા સુપરસીડ ન થાય તેના માટેના પ્રયાસો શરૂ કરવામાં આવેલ છે અને હાલમાં પાલિકાના સભ્યો દ્વારા ચૂંટાયેલા ધારાસભ્ય મારફતે મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી હતી જો કે, મોરબી પાલિકાના સભ્યો આગામી સોમવારે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સાથે મુખ્યમંત્રીને રૂબરૂ રજુઆત કરવા માટે જવાના છે

મોરબી પાલિકાના ૪૯ સભ્યોના કહેવા મુજબ ઓરેવા કંપની સાથે કરવામાં આવેલ કરારને પાલિકાના જનરલ બોર્ડમાં લેવા માટે જે રોજકામ કરવામાં આવ્યું છે તેમાં પાલિકના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના અધ્યક્ષની સહી છે તે સિવાય આ કરાર કરવામાં આવ્યો ત્યારે પાલિકાના એક પણ સભ્યને જાણ કરવામાં આવી ન હતી અને ઝુલતો પુલ તૂટી પડ્યો ત્યાં સુધી તેના માટેનો જરૂરી એજન્ડા પાલિકના જનરલ બોર્ડમાં લેવામાં આવ્યો ન હતો જેથી કરીને પાલિકાના જે સભ્યો આ બાબતે જાણતા જ ન હતા તેની સામે પગલાં લેવામાં આ આવે તે યોગ્ય નથી જેથી કરીને દોષીતો સામે પગલાં લેવામાં આવે અને પાલિકાના નિર્દોષ સભ્યો સામે પગલાં ન લેવામાં આવે તેવી વધુ એક વખત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજુઆત કરવામાં આવશે

અત્રે ઉલેખનીય છે કે, ઝૂલતા પુલ તુટી જવાની ઘટનામાં જે સભ્યોની પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંડોવણી નથી તેની સામે પગલાં લેવા માટેની તૈયારી કરવામાં આવી રહી છે ત્યારે પાલિકાના સભ્યોમાં થતી ચર્ચા મુજબ પાલિકાના અધિનિયમ મુજબ દર ત્રણ મહિને લોકોની સુખકરીના કામેને વેગ આપવા માટે પાલિકામાં પ્રમુખ જનરલ બોર્ડની બેઠક બોલાવવાની હોય છે જો કે, માર્ચ મહિના બજેટ બોર્ડ બેઠક બોલાવવામાં આવ્યા બાદ એક પણ જનરલ બોર્ડની બેઠક પાલિકામાં બોલાવવામાં આવી નથી અને ત્યારે સૌથી મોટો સવાલએ છે કે પાલિકામાં ભાજપની સંપૂર્ણ બહુમતી હોવા છતાં પણ કેમ નિયમિતિ રીતે પાલિકામાં જનરલ બોર્ડની બેઠક લોકોના કામ કરવા માટે બોલાવવામાં આવતી ન હતી તેની તપાસ કરવામાં આવે તો કેટલીક ચોકાવનારી માહિતી સામે આવે તેવી શ્ક્યતા છે






Latest News