મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર રોડે સીરામીક કારખાનામાં આગ લાગતા ત્રણ વ્યક્તિ દાઝ્યા : બે ઇજાગ્રસ્તને રાજકોટ ખસેડાયા


SHARE









વાંકાનેરના સરતાનપર રોડે સીરામીક કારખાનામાં આગ લાગતા ત્રણ વ્યક્તિ દાઝ્યા : બે ઇજાગ્રસ્તને રાજકોટ ખસેડાયા

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં જનરેટરના પેનલ બોર્ડમાં આગ લાગી હતી જેથી કરીને ત્રણ વ્યક્તિ દાજી ગયા હતા માટે તેને તાત્કાલિક સારવારમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે બે દર્દીઓને રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને હાલમાં આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સન ગ્લેર સીરામીક નામના કારખાનામાં આગ લાગી હતી જેથી કરીને ગણપતસિંહ જીતુભા જાડેજા (ઉંમર ૫૦), જીતેન્દ્રસિંહ યુવરાજસિંહ જાડેજા (ઉંમર ૩૫) અને કમલકિશોરભાઈ રામગોપાલ રાવત (ઉંમર ૨૨) (રહે.ત્રણેય આલાપ રોડ તિરૂપતિ સોસાયટી, મોરબી) નામના ત્રણ વ્યક્તિઓ દાઝી ગયા હતા જેથી કરીને તેઓને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ ત્રણ પૈકીના ગણપતસિંહ અને જીતેન્દ્રસિંહને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે અને આ બનાવ સંદર્ભે વધુમાં જાણવા મળતી વિગત મુજબ કારખાનાની અંદર જનરેટરના પેનલ બોર્ડમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી અને આગ લાગવાના બનાવવામાં ત્રણેય વ્યક્તિઓ દાજી ગયા હોય તેઓને સારવારમાં ખસવામાં આવ્યા છે હાલમાં આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી અને ત્યાંથી સ્થાનિક પોલીસને જાણ કરવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે.

બાઇક સ્લીપ

મોરબીના પંચાસર ગામે રહેતા ચંપાબેન રમેશભાઈ વાઘેલા (૪૦) મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ માળિયા ફાટક પાસેથી બાઈકમાં પાછળના ભાગે બેસીને પસાર થતા હતા ત્યારે કોઈ કારણોસર તેઓ બાઈકમાંથી નીચે પડી ગયા હતા જેથી કરીને ચંપાબેનને ઇજાઓ થઈ હોવાથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

માળીયા મીયાણા તાલુકાના નાના દહીસરા ગામે રહેતા અંકિતાબેન રમેશભાઈ ભટાસણા (૩૩) ને મોરબીના પંચાસર રોડ ઉપર હતા ત્યારે અકસ્માતના બનાવવામાં ઈજા થઈ હતી જેથી અંકિતાબેનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News