મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર રોડે સીરામીક કારખાનામાં આગ લાગતા ત્રણ વ્યક્તિ દાઝ્યા : બે ઇજાગ્રસ્તને રાજકોટ ખસેડાયા


SHARE







વાંકાનેરના સરતાનપર રોડે સીરામીક કારખાનામાં આગ લાગતા ત્રણ વ્યક્તિ દાઝ્યા : બે ઇજાગ્રસ્તને રાજકોટ ખસેડાયા

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં જનરેટરના પેનલ બોર્ડમાં આગ લાગી હતી જેથી કરીને ત્રણ વ્યક્તિ દાજી ગયા હતા માટે તેને તાત્કાલિક સારવારમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે બે દર્દીઓને રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને હાલમાં આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સન ગ્લેર સીરામીક નામના કારખાનામાં આગ લાગી હતી જેથી કરીને ગણપતસિંહ જીતુભા જાડેજા (ઉંમર ૫૦), જીતેન્દ્રસિંહ યુવરાજસિંહ જાડેજા (ઉંમર ૩૫) અને કમલકિશોરભાઈ રામગોપાલ રાવત (ઉંમર ૨૨) (રહે.ત્રણેય આલાપ રોડ તિરૂપતિ સોસાયટી, મોરબી) નામના ત્રણ વ્યક્તિઓ દાઝી ગયા હતા જેથી કરીને તેઓને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ ત્રણ પૈકીના ગણપતસિંહ અને જીતેન્દ્રસિંહને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે અને આ બનાવ સંદર્ભે વધુમાં જાણવા મળતી વિગત મુજબ કારખાનાની અંદર જનરેટરના પેનલ બોર્ડમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી અને આગ લાગવાના બનાવવામાં ત્રણેય વ્યક્તિઓ દાજી ગયા હોય તેઓને સારવારમાં ખસવામાં આવ્યા છે હાલમાં આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી અને ત્યાંથી સ્થાનિક પોલીસને જાણ કરવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે.

બાઇક સ્લીપ

મોરબીના પંચાસર ગામે રહેતા ચંપાબેન રમેશભાઈ વાઘેલા (૪૦) મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ માળિયા ફાટક પાસેથી બાઈકમાં પાછળના ભાગે બેસીને પસાર થતા હતા ત્યારે કોઈ કારણોસર તેઓ બાઈકમાંથી નીચે પડી ગયા હતા જેથી કરીને ચંપાબેનને ઇજાઓ થઈ હોવાથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

માળીયા મીયાણા તાલુકાના નાના દહીસરા ગામે રહેતા અંકિતાબેન રમેશભાઈ ભટાસણા (૩૩) ને મોરબીના પંચાસર રોડ ઉપર હતા ત્યારે અકસ્માતના બનાવવામાં ઈજા થઈ હતી જેથી અંકિતાબેનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News