મોરબી અને ચરાડવામાં જુગારની બે રેડ : પાંચ મહિલા સહિત 11 જુગારી ઝડપાયા, બે ફરાર
મોરબીના જડેશ્વર રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધનું સારવારમાં મોત
SHARE
મોરબીના જડેશ્વર રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધનું સારવારમાં મોત
મોરબીમાં આવેલ જડેશ્વર મંદિર પાસે જડેશ્વર રોડ ઉપરથી ચાલીને પગપાળા જતા વૃદ્ધને પાછળથી કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટ લીધા હતા જેથી કરીને વૃદ્ધને માથામાં તથા શરીરે ઇજાઓ થઈ હતી માટે તેને સારવારમાં ખસેડાયા હતા અને તે વૃદ્ધનું સારવારમાં મોત નીપજ્યું હતું જેથી કરીને હાલમાં મૃતકના ભાઈએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ભગવતીપરા-1 માં રહેતા અને લુહારી કામ કરતા બળવંતભાઈ ટપુભાઈ રાઠોડ જાતે લુહાર (ઉંમર વર્ષ 57) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબીના જડેશ્વર રોડ ઉપર આવેલ ભવ્ય ઈલેક્ટ્રીક નામની દુકાન પાસેથી તેઓના ભાઈ હસમુખભાઈ ટપુભાઈ રાઠોડ પગપાળા ચાલીને જતા હતા ત્યારે તેઓને પાછળથી કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લીધા હતા અને પછાડી દીધા હતા જેથી કરીને હસમુખભાઈ ને માથામાં તેમજ શરીરે ઇજાઓ થઈ હોવાથી સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું છે જેથી કરીને મૃતક વૃદ્ધના ભાઈની ફરિયાદ લઈને પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.