મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

બધુ ધ્યાનમાં જ છે તમે ચિંતા ન કરો: ગાંધીનગરમાં સીએમએ આપેલા આશ્વાસન પછી મોરબી પાલિકાના સભ્યો મૂંઝવણમાં !


SHARE









બધુ ધ્યાનમાં જ છે તમે ચિંતા ન કરો: ગાંધીનગરમાં સીએમએ આપેલા આશ્વાસન પછી મોરબી પાલિકાના સભ્યો મૂંઝવણમાં !

મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની ઘટનાને લઈને હાઇકોર્ટ આકરા પાણીએ છે ત્યારે મોરબી પાલિકાને સરકાર દ્વારા સુપરસીડ કરવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે જેથી કરીને મોરબી પાલિકાના બાવનમાંથી ૪૮ સભ્યો ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને સાથે રાખીને સીએમને રૂબરૂ રજૂઆત કરવા માટે ગયા હતા અને ઝૂલતો પુલ તૂટવાની ઘટનામાં તેઓ નિર્દોષ હોવાની રજૂઆત કરી હતી ત્યારે ગાંધીનગરમાં ગયેલા પાલિકાના સભ્યોને સીએમએ કહ્યું હતું કે “બધુ ધ્યાનમાં જ છે તમે ચિંતા ન કરો” જેથી કરીને સીએમના આશ્વાસન પછી મોરબી પાલિકાના સભ્યોની મૂંઝવણ વધી ગઈ છે

મોરબીમાં ઝૂલતો પુલ તૂટી ગયો હતો જેથી કરીને આ ઘટનામાં ૧૩૫ નિર્દોષ લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયેલ હતા જેથી કરીને હાઇકોર્ટમાં આ મુદે સુઓમોટો અને પીએલઆઈની સુનાવણી ચાલી રહી છે ત્યારે પાલિકા સુપરસીડ ન થાય તેના માટેના પ્રયાસો મોરબી પાલિકાના સભ્યો દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે અને પાલિકાના ચૂંટાયેલા સભ્યોમાંથી ૪૮ જેટલા સભ્યો મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને સાથે રાખીને ગાંધીનગર સીએમને રૂબરૂ રજૂઆત કરવા માટે ગયા હતા

ત્યારે સીએમ ભુપેન્દ્રભાઈ પટેલને મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સાથે પાલિકાના સભ્યોમાંથી દેવાભાઇ અવાડિયા, ગિરિરાજસિંહ ઝાલા, ઇદ્રીશભાઈ જેડા, જયંતિભાઈ ઘાટલીયા અને સીમાબેન સોલંકી સહિતના મળ્યા હતા ત્યારે ઝૂલતા પુલની ઘટનામાં જે કરાર પાલિકામાં થયેલ છે, કામ આપવામાં આવ્યું છે તેની કોઈ જાણ કરવામાં આવી નથી અને પાલિકાના જનરલ બોર્ડમાં આ કામ આપવા માટેનો એજન્ડા લેવામાં આવેલ નથી તેવી લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી ત્યારે સીએમએ ટૂકમાં એટલું જ કહ્યું હતું કે, “બધુ ધ્યાનમાં જ છે તમે ચિંતા ન કરો” જેથી મોરબી પાલિકાના સભ્યોને સીએમએ આપેલા આશ્વાસન પછી હવે મોરબી પાલિકાના સભ્યોની મૂંઝવણ વધી ગઈ છે






Latest News