મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર !
Breaking news
Morbi Today

બધુ ધ્યાનમાં જ છે તમે ચિંતા ન કરો: ગાંધીનગરમાં સીએમએ આપેલા આશ્વાસન પછી મોરબી પાલિકાના સભ્યો મૂંઝવણમાં !


SHARE













બધુ ધ્યાનમાં જ છે તમે ચિંતા ન કરો: ગાંધીનગરમાં સીએમએ આપેલા આશ્વાસન પછી મોરબી પાલિકાના સભ્યો મૂંઝવણમાં !

મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની ઘટનાને લઈને હાઇકોર્ટ આકરા પાણીએ છે ત્યારે મોરબી પાલિકાને સરકાર દ્વારા સુપરસીડ કરવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે જેથી કરીને મોરબી પાલિકાના બાવનમાંથી ૪૮ સભ્યો ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને સાથે રાખીને સીએમને રૂબરૂ રજૂઆત કરવા માટે ગયા હતા અને ઝૂલતો પુલ તૂટવાની ઘટનામાં તેઓ નિર્દોષ હોવાની રજૂઆત કરી હતી ત્યારે ગાંધીનગરમાં ગયેલા પાલિકાના સભ્યોને સીએમએ કહ્યું હતું કે “બધુ ધ્યાનમાં જ છે તમે ચિંતા ન કરો” જેથી કરીને સીએમના આશ્વાસન પછી મોરબી પાલિકાના સભ્યોની મૂંઝવણ વધી ગઈ છે

મોરબીમાં ઝૂલતો પુલ તૂટી ગયો હતો જેથી કરીને આ ઘટનામાં ૧૩૫ નિર્દોષ લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયેલ હતા જેથી કરીને હાઇકોર્ટમાં આ મુદે સુઓમોટો અને પીએલઆઈની સુનાવણી ચાલી રહી છે ત્યારે પાલિકા સુપરસીડ ન થાય તેના માટેના પ્રયાસો મોરબી પાલિકાના સભ્યો દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે અને પાલિકાના ચૂંટાયેલા સભ્યોમાંથી ૪૮ જેટલા સભ્યો મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને સાથે રાખીને ગાંધીનગર સીએમને રૂબરૂ રજૂઆત કરવા માટે ગયા હતા

ત્યારે સીએમ ભુપેન્દ્રભાઈ પટેલને મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સાથે પાલિકાના સભ્યોમાંથી દેવાભાઇ અવાડિયા, ગિરિરાજસિંહ ઝાલા, ઇદ્રીશભાઈ જેડા, જયંતિભાઈ ઘાટલીયા અને સીમાબેન સોલંકી સહિતના મળ્યા હતા ત્યારે ઝૂલતા પુલની ઘટનામાં જે કરાર પાલિકામાં થયેલ છે, કામ આપવામાં આવ્યું છે તેની કોઈ જાણ કરવામાં આવી નથી અને પાલિકાના જનરલ બોર્ડમાં આ કામ આપવા માટેનો એજન્ડા લેવામાં આવેલ નથી તેવી લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી ત્યારે સીએમએ ટૂકમાં એટલું જ કહ્યું હતું કે, “બધુ ધ્યાનમાં જ છે તમે ચિંતા ન કરો” જેથી મોરબી પાલિકાના સભ્યોને સીએમએ આપેલા આશ્વાસન પછી હવે મોરબી પાલિકાના સભ્યોની મૂંઝવણ વધી ગઈ છે






Latest News