મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

હળવદ નજીક વાડીએ ઝેરી દવા પીને યુવાને જીવન ટૂંકાવ્યું


SHARE













હળવદ નજીક વાડીએ ઝેરી દવા પીને યુવાને જીવન ટૂંકાવ્યું

હળવદ નજીક આવેલ વાડીએ રહેતા યુવાને પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને ઝેરી અસર થવાના કારણે તેનું મોત નિયજ્યું હતું. ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ ધ્રાંગધ્રા રેલવે સ્ટેશન રોડ ઉપર રહેતા અને હાલમાં હળવદ નજીક આવેલ અમુબેન ભરવાડની વાડીએ રહેતા મૂળજીભાઈ વિભાભાઈ શેખાણી (ઉંમર ૩૫) નામના યુવાને પોતાની જાતે વાડીએ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યારબાદ મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની વિક્રમભાઈ કલાભાઈ ગોહિલ જાતિ કોળી (ઉંમર ૨૪) રહે. હળવદ વાળાએ હળવદ તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં પોલીસ સૂત્ર પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાન ધૂની મગજનો હતો અને એકલવાયુ જીવન જીવતો હતો અગાઉ તેણે બે વખત ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો અને હાલમાં તેણે ઝેરી દવા પી લીધી હતી અને ઝેરી અસર થવાને કારણે તેનું મૃત્યુ નીપજ્યું છે જેથી કરીને પોલીસે આ બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

વૃદ્ધાનું મોત

મોરબી તાલુકાના ગાળા ગામે રહેતા શાંતાબેન અમરશીભાઈ દલસાણીયા (ઉંમર ૭૪) નું કોઈ બીમારી સબબ મૃત્યુ નીપજ્યું હતું જેથી કરીને તેના ડેડબોડીને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બાબતે સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News