હળવદ નજીક નર્મદાની કેનાલમાં ન્હાવા પડેલા 10 પૈકી બે યુવાન ડૂબી જતા શોધખોળ શરૂ કમોસની વરસાદ: મોરબી જિલ્લામાં ધૂળ-કોલસીની ડમરી તેમજ પતરા અને હોર્ડિંગ બોર્ડ ઉડ્યા, ખેડૂતો-અગરિયાઓને મોટું નુકસાન મોરબીમાં દલવાડી સર્કલથી પંચાસર ચોકડી વચ્ચે રોડ સાઈડમાંથી ધૂળ-મેટલ ઉપાડવા કોંગ્રેસનાં આગેવાનની રજૂઆત માળીયા (મી)નાં સોનગઢ નજીક ખાનગી કંપનીની વીજ પોલ નમી ગયો મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળી નિમિતે દરરોજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર: મોરબીમાં આવેલ પેકેજિંગના યુનિટોને ટકાવી રાખવા માટે 15 થી 20 ટકા જેટલો ભાવ વધારો નિશ્ચિત મોરબીના સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક સિસ્ટર નિવેદિતા એવોર્ડથી સન્માનિત મોરબીમાં સિરામિકના કારખાના બંધ હોય એસપી મુકેશ પટેલે ઉદ્યોગકારોને કર્યા મહત્વપૂર્ણ સૂચનો
Breaking news
Morbi Today

હળવદ નજીક વાડીએ ઝેરી દવા પીને યુવાને જીવન ટૂંકાવ્યું


SHARE













હળવદ નજીક વાડીએ ઝેરી દવા પીને યુવાને જીવન ટૂંકાવ્યું

હળવદ નજીક આવેલ વાડીએ રહેતા યુવાને પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને ઝેરી અસર થવાના કારણે તેનું મોત નિયજ્યું હતું. ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ ધ્રાંગધ્રા રેલવે સ્ટેશન રોડ ઉપર રહેતા અને હાલમાં હળવદ નજીક આવેલ અમુબેન ભરવાડની વાડીએ રહેતા મૂળજીભાઈ વિભાભાઈ શેખાણી (ઉંમર ૩૫) નામના યુવાને પોતાની જાતે વાડીએ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યારબાદ મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની વિક્રમભાઈ કલાભાઈ ગોહિલ જાતિ કોળી (ઉંમર ૨૪) રહે. હળવદ વાળાએ હળવદ તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં પોલીસ સૂત્ર પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાન ધૂની મગજનો હતો અને એકલવાયુ જીવન જીવતો હતો અગાઉ તેણે બે વખત ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો અને હાલમાં તેણે ઝેરી દવા પી લીધી હતી અને ઝેરી અસર થવાને કારણે તેનું મૃત્યુ નીપજ્યું છે જેથી કરીને પોલીસે આ બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

વૃદ્ધાનું મોત

મોરબી તાલુકાના ગાળા ગામે રહેતા શાંતાબેન અમરશીભાઈ દલસાણીયા (ઉંમર ૭૪) નું કોઈ બીમારી સબબ મૃત્યુ નીપજ્યું હતું જેથી કરીને તેના ડેડબોડીને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બાબતે સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News