મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં આજે જૈન સમાજ દ્વારા ગિરિરાજ રક્ષા રેલી યોજાશે


SHARE







મોરબીમાં આજે જૈન સમાજ દ્વારા ગિરિરાજ રક્ષા રેલી યોજાશે

પાલીતાણા ખાતે જૈન મંદિર આવેલ છે ત્યાં બે દિવસ પહેલા હુમલાની ઘટના બની હતી જેનો ગામોગામ વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે મોરબી સમસ્ત જૈન સમાજ દ્વારા તા ૨૦ ને મંગળવારે બપોરે 3 વાગ્યે ગીરીરાજ રક્ષા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં આજે સમસ્ત જૈન સમાજ દ્વારા ગીરીરાજ રક્ષા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. તે બાઈક રેલી આજે બપોરે 3 વાગ્યે મોરબીના દરબાર ગઢથી શરૂ કરવામાં આવશે અને નહેરૂ ગેઇટ ચોક, પરાબજાર, ટાઉનહોલ, રવાપર રોડ, મોરબી નાગરિક બેન્ક, રામ ચોક, જુના બસ સ્ટેન્ડ તખ્તસિંહજી રોડ, કબ્રસ્તાન રોડ થઈને આ રેલી જિલ્લા સેવા સદનને પહોંચશે અને ત્યાં કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે અને કોઈપણ તીર્થધામ પ્રજા માટે પ્રાણ સમાન હોય છે ત્યારે તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હોય ગિરિરાજની સલામતી અને રક્ષણ માટે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમાજના લોકોને જોડાવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે






Latest News