મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આસિફ જેલ હવાલે: પોલીસે મોબાઈલ જપ્ત કર્યો
મોરબીમાં આજે જૈન સમાજ દ્વારા ગિરિરાજ રક્ષા રેલી યોજાશે
SHARE
મોરબીમાં આજે જૈન સમાજ દ્વારા ગિરિરાજ રક્ષા રેલી યોજાશે
પાલીતાણા ખાતે જૈન મંદિર આવેલ છે ત્યાં બે દિવસ પહેલા હુમલાની ઘટના બની હતી જેનો ગામોગામ વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે મોરબી સમસ્ત જૈન સમાજ દ્વારા તા ૨૦ ને મંગળવારે બપોરે 3 વાગ્યે ગીરીરાજ રક્ષા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીમાં આજે સમસ્ત જૈન સમાજ દ્વારા ગીરીરાજ રક્ષા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. તે બાઈક રેલી આજે બપોરે 3 વાગ્યે મોરબીના દરબાર ગઢથી શરૂ કરવામાં આવશે અને નહેરૂ ગેઇટ ચોક, પરાબજાર, ટાઉનહોલ, રવાપર રોડ, મોરબી નાગરિક બેન્ક, રામ ચોક, જુના બસ સ્ટેન્ડ તખ્તસિંહજી રોડ, કબ્રસ્તાન રોડ થઈને આ રેલી જિલ્લા સેવા સદનને પહોંચશે અને ત્યાં કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે અને કોઈપણ તીર્થધામ પ્રજા માટે પ્રાણ સમાન હોય છે ત્યારે તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હોય ગિરિરાજની સલામતી અને રક્ષણ માટે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમાજના લોકોને જોડાવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે









