ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી એસોસિએશન ઓફ પીડિયાટ્રિશિયનને ગુજરાતની બેસ્ટ બ્રાંચનો એવોર્ડ એનાયત


SHARE













મોરબી એસોસિએશન ઓફ પીડિયાટ્રિશિયનને ગુજરાતની બેસ્ટ બ્રાંચનો એવોર્ડ એનાયત

એસોસિએશન ઓફ પીડિયાટ્રિશિયનએ મોરબીના બધા બાળરોગ નિષ્ણાત ડોક્ટરોનું સંગઠન છે. તેના દ્વારા વર્ષ ૨૦૨૨ દરમ્યાન ડોક્ટરોના સેમિનાર, જનજાગૃતિ અને વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવેલ. એસોસિએશનના બાળરોગ ડોક્ટરો દ્વારા વર્ષ દરમિયાન વિવિધ કેમ્પમાં સેવા આપવામાં આવેલ તેમજ તાજેતરમાં બનેલ ઝુલતા પુલ દુર્ઘટનામાં દર્દીઓને મફત સારવાર કરેલ હતી આ બધી ઉત્કૃષ્ટ કામગીરીઓને ધ્યાનમાં લઈને એકેડેમી ઓફ પીડીયાટ્રીક્સ, ગુજરાત દ્વારા અમદાવાદ ખાતે યોજાયેલ રાજ્યકક્ષાની કોન્ફરન્સમાં ૨૦૨૨ દરમ્યાન ગુજરાતની બધી બ્રાંચમાંથી મોરબી બ્રાન્ચને બેસ્ટ બ્રાંચનો એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવેલ છે તેમજ આવતા વર્ષે પણ આવી જ ઉમદા પ્રવૃત્તિઓ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવેલ છે હાલમાં એસોસિએશન ઓફ પીડિયાટ્રિશિયનનાં પ્રમુખ ડૉ. હસમુખ સવસાણી, સેક્રેટરી ડૉ. ભાવેશ પરમાર અને ખજાનચી ડૉ. જયેશ બોરસાણીયા પોતાની સેવાઓ આપી રહ્યા છે.






Latest News