મોરબી મહાપાલિકાના હદ વિસ્તારમાંથી છેલ્લા મહિનાઓમાં 3,502 પશુ ડબ્બે પુરાયા મોરબીમાં રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પ યોજાયો મોરબી પાટીદાર એડવોકેટ લીગલ સેલ-જીવાપરના ખેડૂતોની ટ્રેક્ટર રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનના સમર્થનમા આવેલા કલાકાર હકાભા ગઢવીને છાવણીએ આવવાની મનાઈ ! મોરબી જિલ્લામાં જમીન દફતર ખાતાની સેવાઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ: નાગરિકોની સુવિધા માટે નવી ૬ કચેરીઓ કાર્યરત વિદેશ અભ્યાસ લોન બની પથદર્શક: હળવદ તાલુકાનાં મનીષ જાદવનું જર્મનીમાં ભણવાનું સપનું થયું સાકાર નમો સ્વચ્છતા અભિયાનનો મોરબી મનપાના મેયર ઉત્તમ સુરાણી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની હાજરીમાં પ્રારંભ મોરબી જિલ્લામાં સહકાર થી સમૃદ્ધિના સંકલ્પ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું 
Breaking news
Morbi Today

પાલીતાણામાં જૈન મંદિરમાં હુમલો કરનારાઓ સામે કડક પગલાં ન લેવાઈ તો આંદોલન: મોરબી જૈન સમાજની ચીમકી


SHARE









પાલીતાણામાં જૈન મંદિરમાં હુમલો કરનારાઓ સામે કડક પગલાં ન લેવાઈ તો આંદોલન: મોરબી જૈન સમાજની ચીમકી

પાલીતાણા ખાતે જૈન મંદિરે હુમલો કરવામાં આવ્યો હતો તે ઘટનાને લઈને મોરબીમાં સમસ્ત જૈન સમાજ દ્વારા ગીરીરાજ રક્ષા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો હાજર રહ્યા હતા અને પાલીતાણામાં જૈન મંદિરમાં હુમલો કરનારાઓ શખ્સોની સામે કડક પગલાં ન લેવાઈ તો આંદોલન કરવાની મોરબી જૈન સમાજ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે

મોરબીમાં સમસ્ત જૈન સમાજ દ્વારા ગીરીરાજ રક્ષા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બાઈક રેલી મોરબીના દરબાર ગઢથી શરૂ કરવામાં આવી હતી અને નહેરૂ ગેઇટ ચોક, પરાબજાર, ટાઉનહોલ, રવાપર રોડ, મોરબી નાગરિક બેન્ક, રામ ચોક, જુના બસ સ્ટેન્ડ તખ્તસિંહજી રોડ, કબ્રસ્તાન રોડ થઈને આ રેલી જિલ્લા સેવા સદનને પહોંચી હતી આ રેલીમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો હાજર રહ્યા હતા અને આગેવાનોએ જૈન સમાજના સાધુ-ભગવતો અને યાત્રાળુ ઉપર પણ આવરા તત્વો હુમલા કરતા હોવાથી આવા બનાવને સખ્ત શબ્દોમાં વખોડી કાઢેલ છે તેમજ પાલીતાણામાં જૈન મંદિરમાં હુમલો કરનારાઓ શખ્સોની સામે કડક પગલાં લેવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું 






Latest News