મોરબીના રંગપર પાસે બાઈક સ્લીપ થતાં ઇજાગ્રસ્ત થયેલા બે પૈકી એક યુવાનનું મોત: એક સારવારમાં વાંકાનેરના મહિકા ગામે આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર ખાતે ડિઝીટલ એક્ષ રે કેમ્પ યોજાયો મોરબી નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરોની ચૂંટણીનું પરિણામ જાહેર, ફૂલના નિશાન ઉપર 5 - સિંહના નિશાન ઉપર 1 ઉમેદવારનો વિજય ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે
Breaking news
Morbi Today

પાલીતાણામાં જૈન મંદિરમાં હુમલો કરનારાઓ સામે કડક પગલાં ન લેવાઈ તો આંદોલન: મોરબી જૈન સમાજની ચીમકી


SHARE













પાલીતાણામાં જૈન મંદિરમાં હુમલો કરનારાઓ સામે કડક પગલાં ન લેવાઈ તો આંદોલન: મોરબી જૈન સમાજની ચીમકી

પાલીતાણા ખાતે જૈન મંદિરે હુમલો કરવામાં આવ્યો હતો તે ઘટનાને લઈને મોરબીમાં સમસ્ત જૈન સમાજ દ્વારા ગીરીરાજ રક્ષા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો હાજર રહ્યા હતા અને પાલીતાણામાં જૈન મંદિરમાં હુમલો કરનારાઓ શખ્સોની સામે કડક પગલાં ન લેવાઈ તો આંદોલન કરવાની મોરબી જૈન સમાજ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે

મોરબીમાં સમસ્ત જૈન સમાજ દ્વારા ગીરીરાજ રક્ષા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બાઈક રેલી મોરબીના દરબાર ગઢથી શરૂ કરવામાં આવી હતી અને નહેરૂ ગેઇટ ચોક, પરાબજાર, ટાઉનહોલ, રવાપર રોડ, મોરબી નાગરિક બેન્ક, રામ ચોક, જુના બસ સ્ટેન્ડ તખ્તસિંહજી રોડ, કબ્રસ્તાન રોડ થઈને આ રેલી જિલ્લા સેવા સદનને પહોંચી હતી આ રેલીમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો હાજર રહ્યા હતા અને આગેવાનોએ જૈન સમાજના સાધુ-ભગવતો અને યાત્રાળુ ઉપર પણ આવરા તત્વો હુમલા કરતા હોવાથી આવા બનાવને સખ્ત શબ્દોમાં વખોડી કાઢેલ છે તેમજ પાલીતાણામાં જૈન મંદિરમાં હુમલો કરનારાઓ શખ્સોની સામે કડક પગલાં લેવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું 






Latest News