મોરબી એસોસિએશન ઓફ પીડિયાટ્રિશિયનને ગુજરાતની બેસ્ટ બ્રાંચનો એવોર્ડ એનાયત
પાલીતાણામાં જૈન મંદિરમાં હુમલો કરનારાઓ સામે કડક પગલાં ન લેવાઈ તો આંદોલન: મોરબી જૈન સમાજની ચીમકી
SHARE
પાલીતાણામાં જૈન મંદિરમાં હુમલો કરનારાઓ સામે કડક પગલાં ન લેવાઈ તો આંદોલન: મોરબી જૈન સમાજની ચીમકી
પાલીતાણા ખાતે જૈન મંદિરે હુમલો કરવામાં આવ્યો હતો તે ઘટનાને લઈને મોરબીમાં સમસ્ત જૈન સમાજ દ્વારા ગીરીરાજ રક્ષા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો હાજર રહ્યા હતા અને પાલીતાણામાં જૈન મંદિરમાં હુમલો કરનારાઓ શખ્સોની સામે કડક પગલાં ન લેવાઈ તો આંદોલન કરવાની મોરબી જૈન સમાજ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે
મોરબીમાં સમસ્ત જૈન સમાજ દ્વારા ગીરીરાજ રક્ષા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બાઈક રેલી મોરબીના દરબાર ગઢથી શરૂ કરવામાં આવી હતી અને નહેરૂ ગેઇટ ચોક, પરાબજાર, ટાઉનહોલ, રવાપર રોડ, મોરબી નાગરિક બેન્ક, રામ ચોક, જુના બસ સ્ટેન્ડ તખ્તસિંહજી રોડ, કબ્રસ્તાન રોડ થઈને આ રેલી જિલ્લા સેવા સદનને પહોંચી હતી આ રેલીમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો હાજર રહ્યા હતા અને આગેવાનોએ જૈન સમાજના સાધુ-ભગવતો અને યાત્રાળુ ઉપર પણ આવરા તત્વો હુમલા કરતા હોવાથી આવા બનાવને સખ્ત શબ્દોમાં વખોડી કાઢેલ છે તેમજ પાલીતાણામાં જૈન મંદિરમાં હુમલો કરનારાઓ શખ્સોની સામે કડક પગલાં લેવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું