ટંકારાના મીતાણા નજીક રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ કરનાર રાજકોટના શખ્સ સહિત બે પકડાયા: 6.81 લાખનો મુદામાલ કબ્જે મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીના સામાકાંઠા વિસ્તારના પરિવારની યુવતી ગુમ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીમાં આવેલ જીઆઇડીસીમાં ડેરીની અંદર દૂધ ગરમ કરવાના બોઇલરમાં થયો બ્લાસ્ટ: એકને ઇજા ટંકારા ઓવરબ્રિજ પાસે એસટી બસને ટક્કર મારીને 50 હજારનું નુકશાન કરનારા ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકામાં વિદેશી દારૂની 4 રેડ, 14 બોટલ દારૂ સાથે 4 પકડાયા: હળવદના ગોલાસણ ગામેથી 1200 લિટર આથો ઝડપાયો હળવદના ચરડવા ગામ પાસે 1188 બોટલ દારૂ ભરેલ ઇનોવા ઝડપાઇ, કાર ચાલક ફરાર: 8.98 લાખનો મુદામાલ કબ્જે વાંકાનેરના પંચાસિયા ગામે પતિએ રસોઈ બાબતે ઠપકો આપતા મહિલાએ ઝેરી દવા પીને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

હળવદ તાલુકાનાં ઘનશ્યામપુરમાં થયેલ હત્યાના ગુનામાં બે આરોપીને આજીવન કેદ: એક નિર્દોષ


SHARE













હળવદ તાલુકાનાં ઘનશ્યામપુરમાં થયેલ હત્યાના ગુનામાં બે આરોપીને આજીવન કેદ: એક નિર્દોષ

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવતા ઘનશ્યામપુર ગામમાં વર્ષ ૨૦૧૬ માં ખેડૂતની માથે બોલેરો ચડાવીને તેની હત્યા કરવામાં આવી હતી જેની ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે આરોપીઓને પકડ્યા હતા અને આ કેસ મોરબીની સ્પેશ્યલ એટ્રોસીટી કોર્ટેમાં ચાલી ગયો હતો જેમાં બે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે અને એક આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવેલ છે

હળવદના ઘનશ્યામપુર ગામે પોતાની જમીન પર કિશોરભાઈ વાલજીભાઈ રાઠોડ અને તેના પરિવારના સભ્યો ગત તા.૩૧/૫/૨૦૧૬ ના રોજ ખેતીકામ કરતા હતા. ત્યારે નાગજીભાઈ લખમણભાઈ બાંભવા, વિનોદભાઈ ઉર્ફે વીનુંભાઈ અમરશીભાઈ રાતોજા અને ધીરુભાઈ ગોવિદભાઈ પટોળીયાએ કિશોરભાઈને જમીન ખાલી કરવાની ધમકી આપી હતી અને જમીન ખાલી ન કરતા કિશોરભાઈ રાઠોડની જમીન પચાવી પડવા આરોપીએ બોલેરો ગાડી તેની ઉપર ચડાવી દીધી હતી ત્યારે ખેતીકામ કરતા કિશોરભાઈ વાલજીભાઈ રાઠોડનું મોત નીપજ્યું હતું. જેથી કરીને નટુભાઈ વાલજી રાઠોડે ત્રણ શખ્સો સામે હત્યા અને હત્યાની કોષોશીની ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી અને આ હત્યાનો કેસ મોરબીની સ્પેશલ એટ્રોસીટી કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં સરકારી વકીલ સંજયભાઈ દવેએ ૨૨ મૌખિક પુરાવા અને ૩૮ દસ્તાવેજી પુરવા રજૂ કર્યા હતા તેને ધ્યાને લઇને કોર્ટે આરોપીઓ નાગજીભાઈ લખમણભાઈ બાંભવા અને વિનોદભાઈ ઉર્ફે વીનુંભાઈ અમરશીભાઈ રાતોજાને આજીવન કેદ અને ૨૫ હજાર રૂપિયાનો દંડ કર્યો છે અને આરોપી ધીરુભાઈ ગોવિદભાઈ પટોળીયાને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરેલ છે






Latest News