ટંકારાના મીતાણા નજીક રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ કરનાર રાજકોટના શખ્સ સહિત બે પકડાયા: 6.81 લાખનો મુદામાલ કબ્જે મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીના સામાકાંઠા વિસ્તારના પરિવારની યુવતી ગુમ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીમાં આવેલ જીઆઇડીસીમાં ડેરીની અંદર દૂધ ગરમ કરવાના બોઇલરમાં થયો બ્લાસ્ટ: એકને ઇજા ટંકારા ઓવરબ્રિજ પાસે એસટી બસને ટક્કર મારીને 50 હજારનું નુકશાન કરનારા ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકામાં વિદેશી દારૂની 4 રેડ, 14 બોટલ દારૂ સાથે 4 પકડાયા: હળવદના ગોલાસણ ગામેથી 1200 લિટર આથો ઝડપાયો હળવદના ચરડવા ગામ પાસે 1188 બોટલ દારૂ ભરેલ ઇનોવા ઝડપાઇ, કાર ચાલક ફરાર: 8.98 લાખનો મુદામાલ કબ્જે વાંકાનેરના પંચાસિયા ગામે પતિએ રસોઈ બાબતે ઠપકો આપતા મહિલાએ ઝેરી દવા પીને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામે રામદેવ રામાયણ અને મોરબીમાં શક્તિધામ મંદિરના લાભાર્થે લોકડાયરો યોજાશે


SHARE













મોરબીના મકનસર ગામે રામદેવ રામાયણ અને મોરબીમાં શક્તિધામ મંદિરના લાભાર્થે લોકડાયરો યોજાશે

મોરબીના મકનસર ગામમાં સીતારામનગર ખાતે શ્રી રામદેવ રામાયણનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૨૬ થી ૧ જાન્યુઆરી સુધી આ રામદેવ રામાયણ ચાલશે જેથી કરીને ધર્મપ્રેમી જનતાને તેનો લાભ લેવા માટે આયોજકોએ અનુરોધ કરેલ છે

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામે સીતારામનગર ખાતે શ્રી રામદેવ રામાયણનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબીના રામધન આશ્રમ ભાવેશ્વરી માતાજીનાં શિષ્ય બાળ વિદુષી રતનબેન (રત્નેશ્વરીબેન) વક્તા તરીકે વ્યાસપીઠ ઉપર બિરાજશે અને શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે આ કથામાં જુદાજુદા ધાર્મિક પ્રસંગો જેવા કે, શ્રી કૃષ્ણ પ્રાગટ્ય, નંદ મહોત્સવ, શ્રી રામદેવજી મહારાજ પ્રાગટ્ય, શ્રી ભૈરવ ઉદ્ધાર, શ્રી રામદેવજી મહારાજનો વિવાહ, શ્રી પાટનો મહિમા ગત ગંગાના ભક્તોની કથા, શ્રી રામદેવજી મહારાજની સમાધી વિગેરે ઉજવવામાં આવશે આ કથા તા. ૨૬ ના રોજે બપોરે ૧: ૩૦ વાગ્યે શરૂ થશે અને દરરોજ દોઢથી સાંજના છ વાગ્યા સુધી કથા ચાલુ રહેશે જેથી કરીને આયોજક લાલાભાઈ મારાજ (અલ્પેશભાઈ અનંતરાય દેવમુરારી)એ જાહેર જનતાને આમંત્રણ આપ્યું છે

લોકડાયરો યોજાશે

મોરબીના માધાપર ઓજી વિસ્તારમાં શક્તિધામ મંદિર ખાતે મંદિરના લાભાર્થે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે અને તા. ૨૩ ને શુક્રવારે રાત્રે ૯:૩૦ કલાકે આ લોકડાયરો યોજાવાનો છે જેમાં વિવેક સાંચલા, અપેક્ષા પંડ્યા અને ગોવિંદ ગઢવી સહિતના કલાકારો જમાવટ કરશે માટે આ લોકડાયરાને માણવા માટે જય મહાકાલ સતવારા મિત્ર મંડળ દ્વારા લોકોને જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું






Latest News