મોરબી ખાતે ગુજરાતી ફિલ્મસ્ટાર સૂર્યકિરણ રાવતના ગીતના શુટિંગ વેળાએ લોકો ઉમટી પડ્યા
મોરબીના મચ્છુ-૩ અને ડેમી- ૩ ડેમની કેનલોને ચાલુ કરવાની માંગ
SHARE
મોરબીના મચ્છુ-૩ અને ડેમી- ૩ ડેમની કેનલોને ચાલુ કરવાની માંગ
મોરબી જીલ્લાના ડેમો શોભાના ગાઠીયા સમાન છે તેવો સવાલ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરીએ કર્યો છે અને મોરબીમાં આવેલ મચ્છુ-૩ અને ડેમી- ૩ ની કેનાલ ચાલુ કરવાની માંગ કરેલ છે
મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ હાલમાં મુખ્યમંત્રીને લેખીતમા રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી જીલ્લામાં સરકાર દ્વારા કરોડોના ખર્ચે ખેડૂતોને સિંચાઈની સુવિધા મળે તે માટે મચ્છુ-૩ અને ડેમી-૩ ડેમો બનાવવામાં આવેલ છે આ ડેમોનું બાંધકામ પૂર્ણ થયાને ૧૫ વર્ષ જેવો સમય થયેલ છે. છતાં પણ આજ દિન સુધી કેનાલોના કામો પૂર્ણ થયેલ નથી. તેમજ ખેડૂતોને કેનાલ દ્વારા એક પણ વખત સિંચાઈ માટેનું પાણી મળેલ નથી. તો આ ડેમો શું? શોભાના ગાંઠિયા તરીકે સાચવીને રાખવા માટે બનાવેલ છે. જો ખેડૂતોને કેનાલ દ્વારા પાણી આપવા માટે આ ડેમો બનાવવામાં આવેલ નથી શું? જેથી કરીને આ ડેમોની કેનાલો તાત્કાલિક પૂર્ણ કરીને ખેડૂતોને કેનાલ દ્વારા સિંચાઈનું પાણી મળે તે માટે યોગ્ય કરવાની માંગ કરેલ છે