મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીના બગથળા હાઈસ્કૂલના વર્ષ ૨૦૦૬ એસએસસી બેચના વિધ્યાર્થીઓ દ્વારા ગુરૂ વંદના તથા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબીના બગથળા હાઈસ્કૂલના વર્ષ ૨૦૦૬ એસએસસી બેચના વિધ્યાર્થીઓ દ્વારા ગુરૂ વંદના તથા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

મોરબીના બગથળા હાઈસ્કૂલના વર્ષ ૨૦૦૬ એસએસસી બેચના વિધ્યાર્થીઓ દ્વારા ગુરૂ વંદના તથા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો.પ્રાચિન કાળથી ભારતવર્ષમાં ગુરૂ શિષ્ય પરંપરા તેમજ તેમના સબંધો અનેરા ભાવપૂર્ણ અને દ્રષ્ટાંતરૂપ રહ્યા છે.ભારતીય સંસ્કૃતિમાં ગુરુ શિષ્યના અનેક પ્રેરક પ્રસંગો જોવા મળે છે જેમકે ગુરુ સાંદિપની ઋષિ અને તેમના શિષ્ય ભગવાનશ્રી કૃષ્ણ, ગુરુ દ્રોણ અને અર્જુન આવાં અનેક ઉદાહરણો જોવા મળે છે ત્યારે મોરબીની બગથળા હાઈસ્કૂલ (શ્રી હરિ નકલંક વિદ્યાલય, બગથળા) ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા બગથળા ખાતે ગુરુ ભાવવંદના કાર્યક્રમ પટેલ સમાજ વાડી, બગથળા મુકામે યોજાયો હતો.કાર્યક્રમમાં શાળાના  એસએસસી બેચ-૨૦૦૬ ના વિધાર્થીઓ અને ગુરુજનો તથા શાળાના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

આ તકે શાળાના ગુરુજનો તથા કર્મચારીઓ પૈકી બોપલીયા રમેશભાઈ વી., રાંકજા વેલજીભાઈ એન., ઠોરિયા સવજીભાઈ સી., શેરસિયા સુનિતાબેન  કે., વાધરિયા કલ્યાણજી ભાઈ કે., અઘારા નટુભાઈ ડી., ભાટિયા ગણેશભાઈ, કામરીયા અશોકભાઈ, ઝાલરીયા પ્રજ્ઞાબેન હાજર રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત ગુરુજનોના હસ્તે દીપ પ્રાગટય દ્વારા થઈ હતી.વિધાર્થીઓએ શબ્દો અને પુષ્પગુચ્છથી ગુરુજનો અને શાળાના કર્મચારીઓનું સ્વાગત કર્યુ હતું.બાળકોએ ગુરુજનોનું પૂજન કર્યું હતું.બાદમાં વિધાર્થીઓએ શાળા સમયની યાદો વર્ણવી હતી.ગુરુજનોએ પણ તે સમયની યાદો તાજી કરીને વિધાર્થીઓ ભવિષ્યમાં આગળ અને આગળ પ્રગતિ કરતા રહે એવા આશીર્વાદ આપ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના એસએસસી બેચ૨૦૦૬ ના વિધાર્થીઓ ઉમેશ ઠોરિયા (મો. ૯૭૧૪૨ ૩૩૩૫૫, પ્રોફેસર,દર્શન યુનિવર્સિટી-રાજકોટ), કાનજી સાદરિયા (મો. ૯૬૩૮૧ ૫૧૨૧૯) અને અન્ય વિધાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.






Latest News