મોરબીમાં કિશાન દિન નિમિત્તે બાગાયતી યોજનાઓની ખેડૂત શિબિર યોજાઈ
મોરબીના બગથળા હાઈસ્કૂલના વર્ષ ૨૦૦૬ એસએસસી બેચના વિધ્યાર્થીઓ દ્વારા ગુરૂ વંદના તથા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીના બગથળા હાઈસ્કૂલના વર્ષ ૨૦૦૬ એસએસસી બેચના વિધ્યાર્થીઓ દ્વારા ગુરૂ વંદના તથા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો
મોરબીના બગથળા હાઈસ્કૂલના વર્ષ ૨૦૦૬ એસએસસી બેચના વિધ્યાર્થીઓ દ્વારા ગુરૂ વંદના તથા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો.પ્રાચિન કાળથી ભારતવર્ષમાં ગુરૂ શિષ્ય પરંપરા તેમજ તેમના સબંધો અનેરા ભાવપૂર્ણ અને દ્રષ્ટાંતરૂપ રહ્યા છે.ભારતીય સંસ્કૃતિમાં ગુરુ શિષ્યના અનેક પ્રેરક પ્રસંગો જોવા મળે છે જેમકે ગુરુ સાંદિપની ઋષિ અને તેમના શિષ્ય ભગવાનશ્રી કૃષ્ણ, ગુરુ દ્રોણ અને અર્જુન આવાં અનેક ઉદાહરણો જોવા મળે છે ત્યારે મોરબીની બગથળા હાઈસ્કૂલ (શ્રી હરિ નકલંક વિદ્યાલય, બગથળા) ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા બગથળા ખાતે ગુરુ ભાવવંદના કાર્યક્રમ પટેલ સમાજ વાડી, બગથળા મુકામે યોજાયો હતો.કાર્યક્રમમાં શાળાના એસએસસી બેચ-૨૦૦૬ ના વિધાર્થીઓ અને ગુરુજનો તથા શાળાના કર્મચારીઓ હાજર રહ્યા હતા.
આ તકે શાળાના ગુરુજનો તથા કર્મચારીઓ પૈકી બોપલીયા રમેશભાઈ વી., રાંકજા વેલજીભાઈ એન., ઠોરિયા સવજીભાઈ સી., શેરસિયા સુનિતાબેન કે., વાધરિયા કલ્યાણજી ભાઈ કે., અઘારા નટુભાઈ ડી., ભાટિયા ગણેશભાઈ, કામરીયા અશોકભાઈ, ઝાલરીયા પ્રજ્ઞાબેન હાજર રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત ગુરુજનોના હસ્તે દીપ પ્રાગટય દ્વારા થઈ હતી.વિધાર્થીઓએ શબ્દો અને પુષ્પગુચ્છથી ગુરુજનો અને શાળાના કર્મચારીઓનું સ્વાગત કર્યુ હતું.બાળકોએ ગુરુજનોનું પૂજન કર્યું હતું.બાદમાં વિધાર્થીઓએ શાળા સમયની યાદો વર્ણવી હતી.ગુરુજનોએ પણ તે સમયની યાદો તાજી કરીને વિધાર્થીઓ ભવિષ્યમાં આગળ અને આગળ પ્રગતિ કરતા રહે એવા આશીર્વાદ આપ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના એસએસસી બેચ૨૦૦૬ ના વિધાર્થીઓ ઉમેશ ઠોરિયા (મો. ૯૭૧૪૨ ૩૩૩૫૫, પ્રોફેસર,દર્શન યુનિવર્સિટી-રાજકોટ), કાનજી સાદરિયા (મો. ૯૬૩૮૧ ૫૧૨૧૯) અને અન્ય વિધાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.