મોરબીના પંચમુખી હનુમાન મંદિર ખાતે આવતી કાલથી શ્રી રામચરિત માનસ કથાનો પ્રારંભ
SHARE
મોરબીના પંચમુખી હનુમાન મંદિર ખાતે આવતી કાલથી શ્રી રામચરિત માનસ કથાનો પ્રારંભ
મોરબીના સામાકાંઠે આવેલ શ્રી પંચમુખી હનુમાનજી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટની આયોજન સમિતિ દ્વારા મોરબીના વેજીટેબલ રોડ ઉપર સામેકાંઠે આવેલ પંચમુખી હનુમાન મંદિર ખાતે શ્રી રામચરિતમાનસ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે.જેમાં વ્યાસપીઠ ઉપરથી ડો.દિલીપભાઈ પૈસા સંગીતમય શૈલીમાં શ્રી રામચરિત માનસ જ્ઞાનયજ્ઞનું રસપાન કરાવશે જેનો લાભ લેવા માટે આયોજન સમિતિ દ્વારા સર્વેને જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલું છે.
આવતીકાલ તા.૨૪ ને શનિવારના રોજ બપોરે ૧:૩૦ વાગ્યે વસંતભાઈ વિડજાના નિવાસ સ્થાન અરૂણોદયનગર ખાતેથી પોથીયાત્રા શરૂ થશે અને પંચમુખી હનુમાન મંદિર ખાતે પહોંચશે.કથા.તા.૨૪-૧૨ થી તા.૧-૧-૨૩ સુધી યોજાશે દરરોજ બપોરના બે થી સાંજના છ સુધી કથાનું રસપાન કરાવાશે. તા.૨૫ ને રવિવારે શિવ વિવાહ, તા.૨૬ ના શ્રી રામ જન્મોત્સવ, તા.૨૭ ના રામ બાળલીલા અને સીતારામ વિવાહ, તા.૨૮ ના કૈકેયિ વચન અને કેવટ પ્રસંગ, તા.૨૯ ના દશરથ સ્વર્ગવાસ ભરત મિલાપ અને પાદુકા પૂજન, તા.૩૦ શબરી પ્રસંગ અને નવધા ભક્તિ, તા.૩૧ ના હનુમાન ચરિત્ર અને રામેશ્વર પૂજન તથા તા.૧-૧-૨૩ ને રવિવારે રાવણવધ રામ રામરાજ્યાભિષેક સાથે કથાની પૂર્ણાહુતિ થશે.
અત્રે નોંધનીય છે કે પંચમુખી હનુમાન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દરરોજ સવારે ૮ થી ૧૦ ધૂન, તેમજ શનિવારે સાંજે ૫ થી ૬ ધૂન, તેમજ હનુમાન જયંતીના દિવસે બટુક પ્રસાદ યોજવામાં આવે છે. સંસ્થા દ્વારા રાહત દરે હોલ તેમજ મેડિકલ સુવિધા આપવામાં આવે છે. તેમજ કોઈપણ સમયે અંતિમયાત્રા બસની સેવા પણ ટ્રસ્ટ દ્વારા પહોંચાડવામાં આવે છે અને છેલ્લા ૧૧ વર્ષથી ૧૪૦ જરૂરિયાતમંદ લોકોને ફ્રી ટિફિન સેવા પણ સંસ્થા દ્વારા પહોંચાડવામાં આવે છે.જ્યારે તહેવારના દિવસોમાં રાહત દરે મીઠાઈ વિતરણ તેમજ અન્ય મેડિકલ સાધનો પણ સંસ્થા દ્વારા ઉપલબ્ધ કરાવી આપવામાં આવે છે. સાથોસાથ વિધવાઓને મળતા વિધવા પેન્શન સહિતના ખાતાકીય કામો પણ સંસ્થા દ્વારા મદદરૂપ થઈને કરાવી આપવામાં આવે છે.તેમજ સુવર્ણ પ્રાસનના કેમ્પ અને વિના મૂલ્ય ટ્યુશન ક્લાસીસ પણ ચલાવવામાં આવે છે.વધુ વિગત માટે કોન્ટેક નંબર ૯૮૨૫૨ ૨૨૬૧૭ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.