મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે શનિ-રવિવારે સંસ્કૃતિ ઉત્સવ-તુલસી દિવસ ઉજવાશે: નીલકંઠ સ્કૂલમાં તુલસી પૂજન કરાશે


SHARE









મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે શનિ-રવિવારે સંસ્કૃતિ ઉત્સવ-તુલસી દિવસ ઉજવાશે

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે શનિવાર  અને રવિવાર એમ બે દિવસ સંસ્કૃતિ ઉત્સવ અને તુલસી પર્વની ઉજવણી કરવામાં આવશે અને આ વર્ષે સાતમી વખત સાર્થક વિદ્યામંદિર ખાતે તુલસી દિવસ ઉજવવામાં આવશે.

મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં દર વર્ષે ૨૫ ડિસેમ્બરના દિવસને તુલસી દિવસની ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ સાર્થક વિદ્યામંદિર ખાતે તુલસી દિવસની ઉજવણી કરાશે અને તા ૨૫ ના રોજ સવારે ૧૦ થી ૧૨ વાગ્યા દરમિયાન તુલસી દિવસ નિમિતે તુલસી પૂજનઆરતીતુલસીનું મહત્વતુલસી રોપા વિતરણતુલસી પ્રદર્શનની અને તુલસી સન્માન અર્પણ એવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 

આ વખતે સાર્થક વિદ્યામંદિરમાં સાતમી વખત તુલસી દિવસ ઉજવવામાં આવશે. ત્યારે તુલસી દિવસની ઉજવણીના ભાગરૂપે બે દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમ સાર્થક સંસ્કૃતિ ઉત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૨૪ ડિસેમ્બરના તુલસી પર્વ-૧ નર્સરીથી ધોરણ ૫ ના બાળકો માટે અને તારીખ ૨૫ ડિસેમ્બરના રોજ તુલસી પર્વ-૨ ધોરણ ૬ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે એમ બે દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેવું સંસ્થાના સંચાલક કિશોરભાઇ શુકલે તેની યાદીમાં જણાવ્યૂ છે.

 

નીલકંઠ સ્કૂલ

૨૫ મી ડિસેમ્બરની સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવે છે. અને ક્રિસમસ ટ્રિ ને લાઇટિંગ કરવામાં આવે છે જો કે, મોરબીના રવાપર રોડે આવેલ નીલકંઠ સ્કૂલ દ્વારા ૨૫મી ડિસેમ્બરની ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ઉજવણી કરવામાં આવશે અને તુલસીના છોડનું દરેક ઘરમાં વર્ષોથી પૂજન કરાતું હોય છે ત્યારે સ્કૂલના વિદ્યાર્થીઓમાં તુલસી પૂજન અને તેના મહત્વ વિશે સમજણ આવે તે માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા ૨૫ મી તારીખે તુલસીનું પૂજન કરીને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવશે






Latest News