ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં સર્વ જ્ઞાતિ ૭ માં સમૂહ લગ્નોત્સવનું આયોજન


SHARE











મોરબીમાં સર્વ જ્ઞાતિ ૭ માં સમૂહ લગ્નોત્સવનું આયોજન

શ્રી ગંગા સ્વરૂપ સહાય સમિતિના સંચાલક દેવકરણભાઈ આદ્રોજા, ચંદ્રકાંતભાઈ દફતરી અને વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબીના પ્રમુખ ડૉ.પરેશ પારીઆની એક યાદીમાં જણાવવામાં આવે છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ સર્વજ્ઞાતિ ૭ માં સમૂહ લગ્નોત્સવ નું આયોજન કરેલ છે જેમાં ગંગા સ્વરૂપ બહેનો અને વિધુર ભાઈઓના સંતાનોને પ્રથમ અગ્રયતા આપવામાં આવશે.ત્યારે બાદ સામાજિક અને આર્થિક પછાત તેમજ આર્થિક નબળા પરિવારના સંતાનોને લાભ આપવામાં આવશે.

આગામી તા.૧૨-૩-૨૩ના રોજ મોરબી ખાતે સમૂહ લગ્નોત્સવ યોજાશે જેના ફોર્મ તા.૨૬-૧૨-૨૨ ના રોજ સવારે ૧૦ થી ૧ સાંજે ૪ થી ૭ દરમિયાન વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી ઓફિસ, આંબેડકર કોલોની, રોહિદાસ પરા મેઈન રોડ, રેલવે સ્ટેશનની સામે, મોરબી ખાતેથી મળશે.ફોર્મ તા.૧૫-૧-૨૩ સુધી ભરાશે અને ભરેલા ફોર્મ તા.૩૦-૧-૨૩ સુધીમાં સ્વીકારવામાં આવશે.આ સમૂહ લગ્નોત્સવમાં કન્યાને કરિયાવરમાં ૭૦ થી વધુ ઘરવખરીની આઇટમો દાતાઓના સહયોગથી આપવામાં આવશે. આ સમૂહ લગ્નોત્સવમાં જોડાવવા માંગતા પરિવારજનો તેમજ આયોજક સમિતિમાં જોડાવવા માંગતા અને કન્યાદાનનું પૂણ્ય કમાવવા માંગતા દાતાઓ ર્ડા.પરેશ પારીઆ (મો.૮૭૩૨૯ ૧૮૧૮૩) અને ચંદ્રકાંતભાઈ દફતરી (મો.૯૮૨૫૨ ૨૩૧૯૯) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.






Latest News