મોરબીના સતવારા સહકાર મંડળ દ્વારા કાલે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન
મોરબીમાં મારામારીના ગુનામાં આરોપીઓનો જામીન ઉપર છુટકારો
SHARE
મોરબીમાં મારામારીના ગુનામાં આરોપીઓનો જામીન ઉપર છુટકારો
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આ કામના ફરીયાદીએ ફ૨ીયાદ આપેલ કે આ કામના ફરીયાદી તથા સાહેદ દુકાન પાસે ઉભા હોય ત્યારે આરોપીઓએ બોલાચાલી કરી ગાળો આપી ફરીયાદીને છરી વતી ઈજા કરેલ બાદમાં ફરીયાદી ઘરે જતા રહેતા આ કામના આરોપીઓ ફરીયાદીના ઘરે જઈ લોખંડના પાઈપ વડે ઈજા કરી ઢીકા પાટુનો માર મારી ગાળોઆપી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોવાનો ગુનો કરેલ હોવાની ફરીયાદી કરતા ઉપરોક્ત ફ૨ીયાદ ૫૨થી મોરબી બી ડીવી પોલીસે આરોપી વીરુધ્ધ કલમ ૩૨૬, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨),૧૧૪ વીગેરે મુજબનો ગુનો નોંધ્યો હતો.
આરોપીઓ તરફે જાણીતા એડ. દિલીપભાઈ અગેચાણીયા મારફતે જામીન મેળવવા અરજી દાખલ કરેલ અને દલીલ કરીને જણાવેલ કે આરોપીઓએ આવો કોઈ ગુનો કરેલ નથી કયાંય નાશીભાગી જાય તેમ નથી. તેમજ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદા ૨જુ ક૨ીને જણાવેલ કે કોર્ટે ગુનાની ગંભી૨તા અને તેનો નેચર જોવો જોઈએ બન્ને બાજુની બેલેન્સનું ધ્યાન રાખવું જોઈએ.બન્ને પક્ષની તમામ દલીલોને ધ્યાને લઈ આરોપી પક્ષના એડવોકેટ દિલીપ અગેચાણીયાની દલીલોને માન્ય રાખીને આરોપી મનસુખ હનાભાઈ ચાવડા, હકા હનાભાઈ ચાવડા, મનીષાબેન હનાભાઈ ચાવડા, કુસુમબેન હનાભાઈ ચાવડાને જામીન પર છોડવાનો હુકમ કરેલ.આ કામમાં આરોપી તરફે મોરબી દીલીપભાઈ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, મોનીકા ગોલતર, હીતેશ પરમાર, મનીષા સોલંકી, દીવ્યા સીતાપરા, ડીમ્પલ રૂપાલા રોકાયેલા હતા.